SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત વિશુદ્ધ ભાવવાળા મુનિઓ અવધિજ્ઞાન દ્વારા કર્મોનું નિર્જરવું જાણી શકે છે. જે જીવો પ્રયોજનભૂત આત્મીય શુદ્ધ તત્ત્વના જ્ઞાતા છે તે જીવો અવશ્ય કર્મની નિર્જરા કરી મુક્તિ પામે છે. ચિંતન : નિર્જરા તત્વમાં ચિંતન કરી શકાય કે હું શુદ્ધ નિર્જરા વડે કર્મોનો ક્ષય કયારે કરીશ ? સમ્યક્ત્વની પ્રાપ્તિ સહિતની મારી નિર્જરા જ કર્મ ક્ષયનું કારણ બને છે. વિકલ્પોની જાળથી મુક્ત થઈ હું ધર્મધ્યાન વડે ચિત્ત શુદ્ધ કરું. જેથી યોગ્યકાળે મને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય. અને હું કેવળજ્ઞાન પામી મુક્ત થાઉં. બાર પ્રકારના તપો દ્વારા નિદાન રહિત, સમ્યક્ દૃષ્ટિ-જ્ઞાની પુરૂષને મુખ્યત્વે વૈરાગ્યભાવને કારણે કર્મોની નિર્જરા થાય છે. જેને સંસારવાસગર્ભાવાસ, દુઃખથી છૂટવું છે. તેણે એવી આરાધના કરવી જોઈએ કે જેથી કર્મોની નિર્જરા થાય. આવતા કર્મો અટકે-સંવરભાવના યુક્ત જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. નિર્જરાનો અર્થ કર્મોનું આત્માથી છૂટા પડવું. જ્યાં સુધી પરદ્રવ્યો-પરભાવ સાથે જીવના રાગાદિભાવ છે ત્યાં સુધી કર્મોનો સંવર કે નિર્જરા સંભવ નથી. કેવળ શુભાશુભ કર્મબંધ થયા કરે છે. ઉદયમાં આવેલા કર્મો જીવ માત્રને ફળ આપીને નિર્જરે છે. તે નિર્જરાભાવનાનો હેતુ નથી. સમસ્ત કર્મ ઉદયમાં આવીને ખરી જાય તે શુદ્ધ નિર્જરા ઉપાદેય છે. જ્ઞાનીપુરૂષને પ્રથમ એ નિર્ણય હોય છે કે હું કર્મોના વિપાક રહિત શુદ્ધ ચૈતન્યમાત્ર છું. તેવી દૃઢ શ્રદ્ધાથી કર્મોની નિર્જરા થાય છે. એવી નિર્જરા મિથ્યાર્દષ્ટિ જીવને હોતી નથી. જ્ઞાની પુરૂષના તપાદિ નિદાન રહિત હોય છે. ધર્મના બદલામાં દેવાદિ સુખ ઈચ્છવા તે ધર્મ તો નથી પણ તે સંવર કે નિર્જરાને પાત્ર પણ નથી. નિર્જરા ભાવના : (હરિગીત) ખૂબ તાપ પડતાં જે રીતે, સાગર નીર શોષાય છે. ત્યમ સંવરે રોકેલા કર્મો, નિર્જરા થકી ખરી જાય છે. સંગ ઉદયભોગ વિપાક, જ્યમ સહકાર વૃક્ષે કેરી છે અવિપાક બીજી એ રીતે (જ્યમ) માળી થકી ક્યારા વિશે કર્મ સ્વયં ઉદયે ખરે, તવ કામ નહીં, સવિપાક છે ટળે ભ્રમણ, કર્મો ખરે, ઉદ્યમ થકી, અવિપાય છે, સંવર સહેલી નિર્જરાની, જ્ઞાની જનો સૌ કહી ગયા સંવર સહિત જે તપ કરે, નિશ્ચિત વરતો શિવરમા. ચિંતનયાત્રા Jain Education International દ For Private & Personal Use Only નિર્જરા ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy