SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ****** ૯. નિર્જરા ભાવના ************* નિર્જરાતત્ત્વ એક જ પ્રકારનું છે, તેનાથી ભાવિત થવા તેના તપની મુખ્યતાએ બાર ભેદ બતાવ્યા છે. જેમ અગ્નિ એક જ પ્રકારનો છે પણ કોલસા, લાકડા ચકમક જેવાને કારણે અગ્નિને અલગ નામથી ઓળખવામાં આવે છે તેમ નિર્જરાના સાધનરૂપ તપના બાર ભેદો છે. નિર્જરા એટલે બંધાયેલા કર્મોનું ક્ષણે ક્ષણે શુદ્ધ પરિણામ દ્વારા નિર્જરવું, ખરી જવું, દૂર થવું. ‘‘જયાં આત્મરમણતારૂપ બ્રહ્મચર્ય હોય, આદરપૂર્વક જિનપૂજા હોય, કષાયોનો જય અને જિનાજ્ઞાની ઉપાસના હોય તેવું તપ શુદ્ધ છે, જેના વડે નિર્જરા પણ શુદ્ધ હોવાથી કર્મક્ષય થાય છે.’’ તપસ્વી આંતરિકપણે સાવધાન ન રહે તો તે તપથી કર્મો તપવાને બદલે સ્વયં તપી જાય છે, તે માટે સતત જાગૃતિ રાખી દુર્ધ્યાનથી દૂર રહેવું. મન, વચન, કાયાના યોગોનો સંયમ રાખવો જેથી પ્રમાદ ન થાય. ઈંદ્રિયોનું શમન સમજણપૂર્વકનું હોવું તે તપ છે. ધર્મક્રિયાને કષ્ટદાયક ન માનવી. જેમ જેમ દેહાધ્યાસ છૂટે તેમ આંતરિક આનંદ વૃદ્ધિ પામે. એ આનંદ વગર તપસ્વીમાં શુષ્કતા આવે છે. જ્ઞાની તપસ્વી કઠોર તપશ્ચર્યામાં પણ પ્રસન્ન હોય છે. કારણ કે તપથી કર્મનો ક્ષય થતો તે અનુભવે છે. જે તપ મોહાદિ બંધનને તોડવા સમત્વ સહિત કરવામાં આવે છે તે તપ મુક્તિનું સાધન બને છે. જે તપ આકાંક્ષામોહ પ્રેરિત છે તે દેવલોકના સુખને અંતે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા પણ તપથી તપ્યા અને ભૂલ્યા. કોઈ ક્રોધથી, કોઈ માનથી, કોઈ ભોગના લોભથી, કોઈ કપટથી છેતરાઈ ગયા, તેજ તપથી મુક્તિનું શિર્ષાસન થઈ ગયું. જો કે કાળલબ્ધિએ સત્ય સમજતા મુક્તિ વર્યા. 66 "" કીધા કર્મ નિકંદવા રે લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક રે નહિં કોઈ તપ સમાન. છૂટવા જીવ માત્ર દુ:ખ સહીને નિર્જરા તો કરે છે. તો પછી ધર્મમાર્ગમાં તપ દ્વારા શું વિશેષતા છે ! જીવો સુખદુઃખના શુભાશુભ કર્મના અનુભવ કરતાં પુનઃ રાગદ્વેષના ભાવ કરી તેવા કર્મો બાંધે છે એટલે કર્મની જાવક થાય વળી આવક થતી રહે છે પરંતુ કર્મનો નાશ થતો નથી. નિર્જરામાં તત્ત્વરૂપે એ બતાવવું છે કે અકામ નિર્જરા કરતા સકામ નિર્જરા સત્ પુરુષાર્થથી સાધ્ય છે. સવિશેષ જેની રાગ દ્વેષની ચિંતનયાત્રા Jain Education International ૬૧ For Private & Personal Use Only નિર્જરા ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy