SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કારણો દ્વારા કર્મપરમાણુઓનું આત્મા પ્રદેશોમાં ગ્રહણ થવું તે આસ્રવ છે. ત્યાર પછી જીવના અધ્યવસાય અનુસાર તે પરમાણુઓ સાત કે આઠ પ્રકૃતિરૂપે પરિણમે છે તે કર્મબંધ. કાયાવામનઃ કર્મયોગઃ સ સવ:'' વર્યા-તરાય કર્મના ક્ષયોપશમથી યા ક્ષયથી એટલે અંતરાય ઘટવાથી કે ક્ષય થવાથી પુગલના આલંબનથી થનારા આત્મપ્રદેશોનો પરિસ્પદ તે યોગ આત્માની ફુરણાથી મનાદિ સક્રિય બને છે. ઔદારિકાદિ શરીર વર્ગણાના પુગલોના આલંબનથી જે પરિસ્પદ તે કાયયોગ. મતિશ્રુતાવરણના ક્ષયોપશમથી (કંઈક ઉઘાડથી) આંતરિક સ્કૂરણા-વચન લબ્ધિ થતાં ભાષાવર્ગણાના આલંબનથી પરિસ્પદ તે વચનયોગ. મતિજ્ઞાન તે મન અને ઈન્દ્રિયો દ્વારા થતો બોધ છે, તેમાં મતિજ્ઞાનનો ઉઘાડ થતાં (ાયોપશમ) આંતરિક મનની શક્તિ વડે મનોવર્ગણાના આલંબનથી આત્મપ્રદેશોનું પરિસ્પદ તે મનોયોગ છે. આ ત્રણે યોગ આસવરૂપ છે. ચૌદ રાજલોકના પૂરા પ્રદેશમાં કાર્મણવર્ગણાના અનંત પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભર્યા છે. અનંત અનંત જીવો, પ્રતિ સમયે અનંત અનંત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે છતાં તેનો સંગ્રહ ત્રિકાળવાર્તા છે. ખૂટે તેવો નથી. વળી આ પદ્ગલિક પરમાણુઓ ચેતનરૂપ નથી, જડ છે તેને ગ્રહણ કરીને જીવને કંઈ લાભ નથી પરંતુ ઉપયોગની મલિનતા અને ચંચળતાને કારણે આ પરમાણુઓનો સંયોગ થાય છે. - આસવના પાંચ મૂળ કારણો બતાવી હવે તેનો વિસ્તાર બતાવે છે. પાંચ ઈદ્રિયોનો અસંયમ પાંચ હિંસાદિ અવ્રત (અવિરતિ) ચાર ક્રોધાદિ કષાયો ત્રણ મનાદિ યોગ પચીસ અસત્ ક્રિયાઓ કુલ આરંભ પરિગ્રહને લગતી તમામ પ્રવૃત્તિ તેમાં થતા રાગાદિ ભાવો ભયંકર આસવ છે. પાંચ ઈન્દ્રિયોની અસંયમની ભયંકરતા, તેના અનેક ભેદમાં મુખ્ય પાંચ ભેદ છે. એકેન્દ્રિયથી માંડીને પાંચ ઈદ્રિય ધરાવતા જીવો અજ્ઞાનવશ સ્પર્શના સુખને આધીન થઈ સવિશેષ કામ વિષયને કિ ઇ જ દ ર ચનયાત્રા Jain Edecatch thelational For Private & Osonal Use Only આસવ ભાવના .org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy