SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અને અંતરાય જે સંજવલનરૂપે હતા તે ઘાતી કર્મનો ક્ષય કરી પરાદેષ્ટિવાળા યોગી મહાત્મા સર્વજ્ઞકેવળી પરમાત્મા બને છે. ત્યારે તેઓ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યના સ્વામી થાય છે. કૃતકૃત્ય થાય છે. અઘાતકર્મો બાકી છે તે પાપપુણ્યરૂપે છે. મહદઅંશે પુણ્યરૂપ હોય છે. તે આયુષ્ય પૂર્ણ થતાં સહજપણે નાશ પામે છે તે જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. - યોગ સસ્યાસ : તેરમાં ગુણસ્થાનકે માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છે ત્યારે આ યોગી મહાત્મા મન, વચન, કાયાના યોગનો વિરોધ કરે છે. ચૌદમા ગુણસ્થાનકે પ્રયાણ કરે છે. અયોગી થવાથી શૈલેશી અવસ્થાની (અત્યંત સ્થિર) પ્રાપ્તિરૂપ બળથી ભવથી મુક્ત થઈ પરમ નિર્વાણને પામે છે. ભવરોગથી આત્યંતિક નિવૃત્તિ થાય છે. મોક્ષની સાથે જોડે તે પ્રધાનયોગબળ છે. સર્વશ્રેષ્ઠ એવી શૈલીશી અવસ્થાની પ્રાપ્તિરૂપ આ પ્રધાનયોગબળથી મહાત્મા શીવ્રતાએ નિર્વાણપદ પામે છે. જેમાં પાંચ હૃસ્વસ્વરોના ઉચ્ચારણ જેટલો કાળ લાગે છે. આગળની દૃષ્ટિમાં થયેલો ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, ધર્મસયાસ યોગનો પ્રથમનો સામર્થ્યયોગ આ મુક્તિ પ્રદાનને સહાયક થનારા હોય છે. એવો આધ્યાત્મિક વિકાસક્રમ છે. પરંતુ યોગસઢ્યાસ નામનો આ બીજો સામર્થ્યયોગ અતિ શીઘતાએ મુક્તિદાતા બને છે. તે મુક્તાત્માને હવે જન્મ મરણની વ્યાધિ સર્વથા નિર્મૂળ થાય છે. આત્માનું સ્વપણે હોવું તે સ્વભાવ છે. જન્મમરણનો નાશ થવા છતાં આત્મદ્રવ્ય પરમસુખરૂપે શાશ્વત રહે છે. મુક્તિના શાશ્વત સુખનું વર્ણન વચનાતીત છે. વ્યાધિયુક્ત રોગી વ્યાધિથી મુક્ત થાય તેનું પણ વર્ણન કરી શકતો નથી. આ તો આત્માના સંવેદનનું સુખ અનંતગણું છે. તેનું વર્ણન સર્વજ્ઞ પણ સંપૂર્ણ કરી શકે નહિ. તે માત્ર અનુભવ યુક્ત છે. દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુજી, નિરતિચાર પદ એહમાં, યોગી હીએ નહિ અતિચારીજી, આરોહે આરૂઢે ગિરિ, તેમ તેહની ગતિ ન્યારીજી. આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ મહાત્માઓએ વિશિષ્ટ સાધનાબળે સ્થિરાદષ્ટિમાં આવીને સમ્યકત્વ જેવા ગુણને પ્રાપ્ત કરી, વેધસંવેદ્યપદના યોગે, સાંસારિક સુખની યોગદષ્ટિ સમુચ્ચય પરાષ્ટિ ૨૮૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy