SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મોહજનિત ભાવો નષ્ટ થયા હોવાથી ચિત્ત સમતારસમાં નિમગ્ન હોય છે. જેના સંસ્કારબળે તેમની પ્રશાન્તવાહિતાવાળું (અતિશયપણે શાંતસમતા રસનો પ્રવાહ) શ્રેષ્ઠ ધ્યાનદશાનું પરમસુખ આ યોગી મહાત્માને હોય છે. વિશેષતા : આ દષ્ટિવાળા મહાત્મા મુનિજનોમાં કેટલીક વિશિષ્ટતા હોય છે. જે જાણીને આપણા અંતર પણ ઝંકૃત થાય તે સ્વાભાવિક છે. આ દૃષ્ટિના બોધની સૂક્ષ્મતાથી નિર્મોહદશાનું બળ એવું છે કે જાણે સરસ્વતી તેમના કંઠાગ્રે વાસ કરતી હોય તેમ તેમને શાસ્ત્રોની પણ આવશ્યકતા હોતી નથી. જેમ લાકડીના આધાર વગર ચાલી શકાતું હોય તેમને લાકડી શા માટે રાખવી પડે? તેમ આ મુનિજનો જ્ઞાનમાં, ધ્યાનમાં સ્વાભાવિકપણે આત્મમય હોય છે. વળી આ મુનિરાજો ધ્યાનમગ્ન હોવાથી સમાધિનિષ્ઠ હોય છે, જયારે તેઓ યોગારૂઢ હોય ત્યારે તેમને દેવવંદન કે સ્વાધ્યાયાદિ જેવા અવલંબનનો વિકલ્પ હોતો નથી. જો કે હજી દેહધારણ છે ત્યાં સુધી આહાર-વિહારવિહાર જેવી શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં તેમનો ઉપયોગ આત્મરમણતામાં હોય છે, આ આત્માની આશ્ચર્યકારી અવસ્થા છે. ચિત્તની એકાગ્રતા એવી હોય છે કે સમયોચિત પ્રવૃત્તિઓ થયા કરે તેના વિકલ્પો ઉઠે નહિ. આવી અદ્ભુત સમાધિયુક્તદશાને કારણે તેમના સાન્નિધ્યમાં આવતા વિરોધી પ્રકૃતિવાળા જીવો પણ વેરભાવને ત્યજી દેતા હોય છે, ધર્મમાર્ગમાં સહેજે પ્રવેશ કરે છે. આ જીવો છદ્મસ્થ છતાં જીવનમુક્ત છે, સહજ સ્વરૂપે છે તેથી તેમને હવે પરોપકારાદિ શુભ પ્રવૃત્તિના ભાવ ઉઠતા નથી. છતાં જે કંઈ કાર્ય કરવાનું હોય તેમાં તેઓ નિઃસ્પૃહ છે. ગચ્છથી અલિપ્ત દશા હોય છે. અનુષ્ઠાનનું ફળ જે આત્માનુભૂતિ તે આ દૃષ્ટિમાં હોય છે. રત્નત્રયીનો પરિણતિરૂ૫ અનુભવ આ દૃષ્ટિમાં હોય છે. દેહાધ્યાસથી મુક્ત આ યોગીજનો આંખમાં પડેલું કણ કે પગમાં ખેંચેલો કાંટો કાઢતા નથી. નિર્દોષ આહાર-નિહારનો યોગ ન હોય તો તેના વગર ચલાવી લે એવા દૃઢ સંઘયણવાળા અને મનોબળવાળા હોય છે. પલાંઠી વાળીને નિરાંતે બેસવાનો પ્રમાદ સેવતા નથી. નિશ્ચય ધર્મમાં હોવાથી તેમને કરવટ કરીને સૂવા-ઉંઘવાની જરૂર પડતી નથી. બેઠા બેઠા કે કદાચ ઉભા જરા ઝપકી આવી જાય. નિશ્ચયધર્મમાં હોવાથી તેઓને પડિલેહણાદિ આવશ્યક ક્રિયા કે યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૯ પ્રભાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy