SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કરે છે. પાંચમી દૃષ્ટિમાં ચારિત્રમોહનીય કર્મના નિકાચિત ઉદયથી મન ચલિત થાય તો અપ્રશસ્ત કષાય થઈ જાય. પરંતુ આ દષ્ટિમાં કર્મના ઉદયે જીવ સમતા રાખે છે. પૂર્વકર્મ ભલે અપ્રશસ્ત કષાયવાળું હોય પણ ઉદય વખતે તો સમતાયુક્ત પ્રશસ્ત કષાય હોય. તેજ તત્ત્વચિંતનનો, ઔચિત્ય પાલનનો પ્રભાવ છે. તેઓ મહાગીતાર્થ છે. તેમની અંતરદશા આશ્ચર્યકારી હોય છે. - દરેક તીર્થકરો ત્રીજા ભવમાં જયારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે ત્યારે પ્રાય છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. કારણ કે તીર્થકર નામકર્મ નિકાચના માટે પરાકાષ્ઠાની મૈત્રી-કરૂણા જોઈએ છે. તીર્થકર નામકર્મ પ્રકૃતિ અત્યંત ઉચ્ચકોટિની છે તે પ્રબળ કોટિના પ્રશસ્ત કષાયો હોય ત્યારે જ નિકાચિત થાય છે. તેવી કોટિના કષાયો કાનતાદૃષ્ટિમાં હોય છે, જો કે તેનું સાતત્ય ન પણ હોય, પરંતુ છેલ્લા તીર્થકરના ભવમાં જન્મથી જ તે દૃષ્ટિ આવી જાય. મૈત્રીભાવ જગતમેં મેરા સબ જીવસે નિત્ય રહે; દીન દુ:ખી જીવો પર મેરે ઉરસે કરૂણા ઓત બહે. દુર્જન ક્રૂર કુમાર્યરતોં પર ક્ષોભ નહીં મુઝકો આવે; સામ્યભાવ રમ્ભ મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. “યુગ વીર’ મેરી ભાવના કાંતાદૃષ્ટિવાળાની મૈત્રી આદિ ભાવના ઉચ્ચકોટિની હોય છે. તાત્વિક ધર્મનો પ્રારંભ અપુનબંધક અવસ્થાથી થાય છે. ત્યારથી જ મૈત્રી આદિ ભાવનાઓ હોય છે. તેનો સંપૂર્ણ વિકાસ આ દૃષ્ટિમાં હોય છે. આ દૃષ્ટિવાળાનો બીજો ગુણ વિષયથી વિરક્ત હોય છે. પ્રશસ્ત કષાયજન્ય ગુણાનુરાગ હોય છે. પરંતુ કામરાગ કે સ્નેહરાગ નથી. નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા સાધુજનો અપવાદ માર્ગે કથંચિત આરંભાદિ પ્રવૃત્તિ કરે તો પણ તે શાસ્ત્રાનુસારિ હોય છે. આ દૃષ્ટિવાળાનો ત્રીજો ગુણ પ્રભાવશાળી હોય છે. પાત્ર જીવો પ્રત્યે વાત્સલ્યભાવ હોય પરંતુ આજ્ઞાદ્રોહી કડક વલણવાળા હોય છતાં તે સાથે તે જીવો પ્રત્યે સભાવવાળા હોય છે. સાધુ કે ગૃહસ્થ આ દૃષ્ટિવાળાના વ્યક્તિત્વનો એવો પ્રભાવ હોય છે, તે પ્રભાવક હોય છે. આ દષ્ટિવાળાનો ચોથો ગુણ ધર્મ છે. મરણારત કષ્ટમાં ડગે નહીં. આપત્તિમાં દીનતા નહીં. લોકસમૂહ પાસે કોઈ યાચના નહીં. યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૩ કાન્તાદૃષ્ટિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy