SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ગયો હોય છે. જ્ઞાન આનંદમાં મગ્ન યોગીને હવે કયા સુખની ઈચ્છા થાય ? સુખ તો તેમને શોધતું આવ્યું છે. ધન્ય તે મુનિવરો ? તત્ત્વમીમાંસા ગુણપ્રાપ્તિ : કાતાદેષ્ટિવાળા યોગી સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વ-ચિંતનના અમૃત સાગરમાં અહોરાત્ર નિમગ્ન છે. નિશ્ચયનયના બોધથી તેઓ જાણે છે કે કોઈ બાહી પદાર્થ કે વિષયો જીવને સુખ કે દુઃખ આપી શકતા નથી. કારણ તે જડ પદાર્થોનો ચેતનના કોઈ પ્રદેશમાં પ્રવેશ જ નથી. અજ્ઞાન દશામાં રાગ-દ્વેષના ભાવ થાય છે. તેના કારણે સુખદુઃખનો અનુભવ થાય છે. પણ તે આત્માનો સ્વભાવ નથી. માટે તે સુખાદિ કલ્પના માત્ર છે અથવા તત્સમયની અવસ્થા માત્ર છે. પણ તેનું સ્વામીત્વ નથી. આમ નિશ્ચયનો બોધ હોવાથી આ યોગીજનો સ્વરૂપના આનંદમાં મગ્ન રહે છે. વીતરાગ મદ લ્પના, રતિ-અરતિ-ભય-શોક, લલના નિદ્રા, તંદ્રા-દુરંદશા, રહિત અબાધિત યોગ, લલના -શ્રી સુપાર્શ્વજિન સ્તવન, શ્રી આનંદઘનજી. નિશ્ચયનયના બોધના કારણે અધ્યવસાય સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો છે. અર્થાત શુભાશુભભાવ થવા છતાં તેના કારણે ચિત્ત વિપર્યાસ પામતું નથી. તેઓ અશુભ નિમિત્તોને શુભમાં સંક્રમે છે કે કર્મક્ષયનું કારણ માને છે તેથી કોઈ વિકલ્પ ઉઠતો નથી. તેમનું જ્ઞાન વૈરાગ્યગર્ભિત છે. તેથી તેનું પરિણામ પણ આત્માના હિતોદયવાળું છે. કાયાદિક ચેષ્ટા-રૂચિપૂર્વક નથી. જો કે ચારિત્રમોહનીયનો ઉદય હોય તો તે જીવોને દેહપોષણની પ્રવૃત્તિ હોય છે. તે સિવાય તો કાયયોગ પણ ધર્મ અર્થે જ હોય છે. “કાયાદિકનો સાખીઘર રહ્યો અંતર આતમરૂપ” આ યોગી મહા ગીતાર્થ છે. નિશ્ચય વ્યવહારની સમતુલા જાળવે છે. તેમનું ચિત્ત નિરંતર શ્રુતજ્ઞાનથી ભાવિત હોય છે આથી તે આક્ષેપકજ્ઞાન કહેવાય છે. આથી કોઈ બાહ્ય પદાર્થમાં આકર્ષણ પામતું નથી. - કાન્તાદૃષ્ટિવાળા યોગીજનોને ગુણસ્થાનક પ્રત્યયક અશુભ બંધ સિવાય બીજો એક પણ અશુભ બંધ હોતો નથી. સ્થિરાદેષ્ટિમાં અપ્રશસ્ત કષાયો સત્તામાં રહેલા હોવાથી ગુણસ્થાનકપ્રયિક અશુભ બંધ ઉપરાંત બીજો પણ અશુભ બંધ હોય છે. પરંતુ આ યોગીની દશા વિશેષ નિર્મળ છે. આગળની દૃષ્ટિમાં મિથ્યાત્વને કારણે થયેલો પૌલિક સુખનો ભ્રમ આ દૃષ્ટિમાં ટળી ગયો હોય છે, એથી સુખ, ભોગ હોવા છતાં તે યોગદષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy