SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવા ચિંતન દ્વારા અન્ય દર્શનકારાએ પ્રરૂપેલા મિથ્યા ભ્રમ તૂટી જાય છે. અને સાચા શ્રુતજ્ઞાનને પામતો જાય છે. જો અવિરતિ કે દેશવિરતિ હોય તો સર્વવિરતિ માટે તીવ્રઝંખના રાખે છે. છઠ્ઠી દિલ્હી રે હવે કાંતા કહ્યું, તિહાં તારભ્ર પ્રકાશ; તત્વમીમાંસા રે દેટ હોયે ધારણા, નહિ અન્ય શ્રત વાસ. ધન ધન શાસન શ્રી જિનવરતણું.. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રતધમે રે મન દેટ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન ધન શાસન શ્રી જિનવરતણું.... -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ દષ્ટિવાળાનો બોધ સ્થિર, વિસ્તૃત અને વિશુદ્ધ છે. વધુ નિદ્રા, વિથા, કષાયના અપ્રશસ્ત ભાવો, તથા પ્રમાદ રહિત હોય છે. અન્યના અવગુણ પ્રત્યે ઉદારચિત્ત હોય છે. તેના દોષોને ગંભીરતાથી સમજાવી છોડાવે છે તેવા વિનિયોગ પ્રધાન હોય છે. અન્ય જીવોને સન્માર્ગે લઈ જવા માટે ઉદાર આશયવાળા હોય છે. આથી લોકપ્રિયતા તેમને પ્રાપ્ત છે. આ લોકપ્રિયતા ગુણપ્રધાન હોય છે. તેઓની આંતરિક અવસ્થા નિર્મળ છે. સ્વયં નિગ્રંથ છે. તે દશા અદ્ભુત છે. સ્થિરાદેષ્ટિનો બોધ રત્નના પ્રકાશ જેવો હતો. પરંતુ આત્માની નિર્મળતાના કારણે કાન્તાદૃષ્ટિનો બોધ જાણે રત્નના ઢગલાના પ્રકાશથી પણ વિશેષ તારાના પ્રકાશ જેવો સ્થિર અને વિશુદ્ધ છે. વિશુદ્ધિને કારણે આ દૃષ્ટિમાં જીવોના અનુષ્ઠાન નિરતિચાર, પ્રાયે તે શુદ્ધ ઉપયોગને અનુસરનારા હોય છે, અપ્રશસ્ત કષાયનો અભાવ હોય છે. પ્રશસ્ત કષાયનો ભય હોય છે. સાધુ દશાયુકત અપ્રમાદવાળો હોય છે. તત્ત્વના અભ્યાસને કારણે અન્ય સાધકો સાથે સ્વાધ્યાયનો વિનિયોગ કરી શકે છે. તે ગંભીર અને ઉદાર ચિત્તવાળા હોય છે. અન્યના દોષોને વાત્સલ્યથી નિભાવી લે છે. આ દૃષ્ટિમાં બોધના પરિણામ ઘણી સ્થિરતાવાળા હોય છે. ઈષ્ટમાં પ્રીતિ અને અનિષ્ટમાં અપ્રીતિ, સુખમાં રાગ અને દ્વેષમાં દુઃખ જેવી હાલકડોલક સ્થિતિ નથી. પરંતુ સ્વાભાવિક શાંત અને સ્થિતપ્રજ્ઞ હોય છે. ગીતામાં કહ્યું છે તેમ મહાત્માઓ ઈન્દ્રિયવિજેતા હોય છે. “કાચબો જેમ અંગોને તેમ જ વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.' યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૬૭ For Private & Personal Use Only કાતાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy