SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિ Dિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે, એ ગુણ વીર તણો ન વિસારું સંભારું દિનરાત રે, પશુ ટાલી સુરરૂપ કરે જે સમક્તિને અવદાતરે. એગુણ. -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજ્યજી દોષક્ષય-ભ્રાંતિ સ્થિરાદેષ્ટિ સમ્યકત્વ અને વેદ્ય-સંવેદ્યપદ યુક્ત (અનુભવયુક્ત સંવેદન) હોવાથી વિવેકગુણ સંપૂર્ણપણે પ્રગટયો છે. આથી તત્ત્વના બોધ કે નિર્ણયમાં ભ્રાંતિ થતી નથી. કથંચિત શાસ્ત્રજ્ઞાન ન હોય તો તે જીવોનો ક્ષયોપશમ (જ્ઞાનનો સ્વતઃ ઉઘાડ) એવો હોય છે કે તે ધર્મ અને અધર્મને સાચી રીતે સમજે છે. પાપને પાપ જ માને છે. અને તે દોષનો સ્વીકાર કરી લે છે. આ જીવોની ધર્મપ્રવૃત્તિ પણ ભ્રાંતિરહિત હોય છે. જેમકે સુપાત્રદાન તથા અપાત્ર કે પાત્રના અનુકંપાદાનને યથાયોગ્ય રીતે જાણે છે, જયાં જે વિધી કરવાની હોય તે શાસ્ત્રવિહીત કરે છે. સામાયિક, ચૈત્યવંદન, ગુરુવંદન જેવા અનુષ્ઠાનો શાસ્ત્રાનુસારિ કરે તેમાં અતિચાર લાગવા ન દે, જો કે તે જીવોએ અણુવ્રતો ગ્રહણ કર્યા હોય તો હિંસાદિ પાપપ્રવૃત્તિ ન કરે, ગૃહસ્થદશામાં કરવા પડતા કાર્યો અનુકંપાથી ન છૂટકે જ કરે. અજાગૃતિપૂર્વક અસત્ય ન બોલે, ચોરી જેવા કાર્યો ન કરે. પરિગ્રહ પરિમાણ રાખી પરિગ્રહની મૂછ ઘટાડે, બ્રહ્મચર્યવ્રતમાં દઢ રહે. અર્થાત્ જે કંઈ કરે તે નિષ્પાપ કરે. તે જાણે છે કે ધર્મ દ્વારા પણ પ્રાપ્ત થયેલા ભોગ સુખો બહુલતાએ અનર્થ માટે જ થાય છે. તો પછી હિંસાદિ પાપપ્રવૃત્તિઓ મૂછવશ કરવામાં, તે ભોગ સુખો ભોગવવા તે અનર્થકારી જ છે. ધર્મ દ્વારા મળેલા ભોગસુખોમાં પણ મૂછ, પ્રમાદ જેવા દોષોનું સેવન થાય છે તે અનર્થકારી છે અને અવગતિએ લઈ જનારું છે. એથી તે સુખો ભ્રાંતિરૂપ રોગ સમાન કહ્યા છે. ભ્રાંતિના ત્રણ દોષ છે. (૧) વિપર્યય (વિપરિતભાવ) દેહમાં આત્મબુદ્ધિ આત્મામાં દેહભાવ. (૨) સંશય (અનિર્ણયાત્મકતાવ) ભક્તિ યોગ્ય કે સ્વાધ્યાય કરું તો લાભ! અથવા તેના ફળમાં શંકા થવી. (૩) અનધ્યવસાય (બોધરહિત દશા) અસ્પષ્ટબોધ. ગુણપ્રાપ્તિ-તત્ત્વ સૂક્ષ્મબોધ : મિથ્યાત્વના અંધકારરૂપ મહાદોષ ટળ્યા પછી જીવ જે બોધ ગ્રહણ કરે તે મર્મગ્રાહી હોય છે. જે જે ધર્મઅનુષ્ઠાનો યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદેષ્ટિ ૨૫૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy