SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થો પોતાના સ્વસ્વભાવમાં વર્તે તે ધર્મ છે. જેમકે આત્મા રાગાદિરહિત શુદ્ધ સ્વભાવરૂપ દેવ્ય છે, તે સ્વભાવમાં રહેવું-વર્તવું તે ધર્મ છે, પરભાવમાં વર્તવું તે અધર્મ છે. નિશ્ચયથી કોઈ પદાર્થ સ્વભાવને છોડતા નથી. જન્મ જરા મરણે કરી, આ સંસાર અસારતો, ક્ય કરમ સહ અનુભવે એ, કોઈ ન રાખણ હારતો, શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંતતો, શરણ ધર્મ શ્રી જૈનનું, સાધુ શરણ ગુણવંત તો.” -શ્રી પુણ્યપ્રકાશ સ્તવન, શ્રી વિનયવિજ્યજી ચોથી દષ્ટિમાં યોગ બીજના અંકૂરો પણ જીવમાં કેટલું સામર્થ્ય પ્રગટાવે છે? તેને મળેલો તત્ત્વબોધ ચિંતનમાં પરિણમે છે ત્યારે તે ઉઠતા, બેસતા, જાગતા ભવરોગની ભયંકરતાને આગળ રાખે છે. આ સાગરરૂપી સંસારમાં મધુર પાણીની શકયતા નથી. સંસારમાં પુણ્યયોગે મળેલા સુખભવ તેને અતજ્વરૂપ જણાયા છે. તેથી હવે તે સંસારના સાચા સ્વરૂપને ચિંતવે છે કે પ્રથમ આ શરીર જ રોગની, વેદનીયકર્મની મૂર્તિ છે. કયારેક જ શાતા હોય છે. મહશે તો અશાતા જ છે. સુખ માટે ઘણા પ્રયત્ન કરવા છતાં દુઃખની પરંપરા જ મળે છે. દુ:ખમય, દુઃખનું ક્ષેત્ર, દુઃખની પરંપરાવાળા આ સંસારમાં સુખની અપેક્ષા અજ્ઞાની જીવ રાખે, વળી તેમાં કંઈક સુખની વાત સાંભળવા મળે તો તે અતજ્વરૂપ છે. કારણકે દુઃખના અભાવમાં જણાતું સુખ તે સુખ નથી. અનાદિકાળથી જીવ અતત્ત્વનું શ્રવણ કરતો આવ્યો છે તેને તત્ત્વ શ્રવણના સુખનો અંશમાત્ર ખ્યાલ નથી. આ જીવ વિચારે છે કે તત્ત્વ શ્રવણ એ સુધારસ છે, કલ્યાણકારી છે. તેથી નિરંતર ગુરુજનોને શોધે છે. વિવિધ સન્શાસ્ત્રને શોધે છે અને તત્ત્વના બોધમાં લીન બને છે. અંતે સ્વરૂપ દૃષ્ટિને દઢ કરે છે. ગુરુમુખે શ્રવણ થયેલા તત્ત્વજ્ઞાનના નિમિત્તે અંતર્થક્ષ ખુલી જાય છે. તે દિવ્યનયન વડે તેને પ્રભુના સહજસ્વરૂપનું દર્શન થાય છે. પ્રભુ ગુણના દર્શનથી તેને અતિ ભાવોલ્લાસ આવે ત્યારે તેના પરિણામની નિર્મળતા વડે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવા યોગ મળે છે. કાળક્રમે તેનો વિપાકોદય થતા તે સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. “ઈણ વિધ પરખી મન વિશરામી જીનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી પરમાતમ પદ પાવે.' -શ્રી મલ્લિનાથ જિન સ્તવન, શ્રી આનંદઘનજી યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ For Private & Personal Use Only ૨૪૪ Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy