SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સહેજે પ્રગટે છે. ક્ષમાદિ, દયા, શાંતિ, ઉદારતા જેવા ગુણો આત્મસાત્ થાય છે. વળી તેને ગુણવાનો, જ્ઞાનીજનો પ્રત્યે અંતરનો આદર થાય છે. - સમાધિ : સમભાવ, કુતર્ક શમી જવાથી જીવની અંતરની મલિનતા દૂર થાય છે. તેમાં પણ સમાધિરૂપ ધ્યાનીનું અંતર નિર્મળ હોવાથી તે સર્વ પ્રત્યે સમદષ્ટિ હોય છે. તેને કારણે તેઓ હંમેશા પરોપકારવૃત્તિવાળા હોય છે. પોતાને મળેલા રત્નત્રય જેવા ગુણોનું જ્ઞાન અન્યને આપવા સર્વદા તત્પર હોય છે. કેવળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી. ચૌદપૂર્વી પણ પ્રમાદે ભવભ્રમણ પામ્યા છે. તો પછી મોહનીયકર્મના ઉદયયુક્ત જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તો મહાબાધક છે તે જીવને મોહનીયકર્મ એવું મૂંઝવે છે કે અનુભવ રહિત જ્ઞાન છતાં તેને જ્ઞાનનો ભ્રમ પેદા થાય છે. તે અનંત સંસારનું કારણ બને છે. આગમ શાસ્ત્રોમાં પદાર્થોના અનેક ભેદો, સૂક્ષ્મતા, અતીન્દ્રિયજ્ઞાનના વિષયો ગહન છે તે તારા ખોબા જેટલા જ્ઞાનમાં કેમ આવે ? જ્ઞાન સ્વયં શુદ્ધ છે પરંતુ મોહનીયના ઉદયમાં તે જ્ઞાન અજ્ઞાનરૂપે હોય છે. જે કર્મબંધનું કારણ બને છે. આટલા દહેરાસરો બાંધવા કરતાં ગરીબોને સહાય કરો, હોસ્પીટલો બાંધો, ગરીબોના ઘર બાંધો. આ બધી સામાજિક જરૂરી વ્યવસ્થા છે. પણ તેને ઉત્તમ તત્ત્વો સાથે સરખામણી કરી તર્કબદ્ધ થવું તે અહિતકારી છે. દહેરાસરમાં પ્રભુદર્શન કરવાથી તારા દોષો ક્ષય થવા સંભવ છે, જેથી કર્મબંધ પણ થવાનો નથી, જેને કારણે અશાતા જેવા કર્મો પણ ભોગવવા નહિ પડે. છતાં એમ કર તને સામાજિક વ્યવસ્થામાં (સેવામાં) રસ છે ને ? તું એ કાર્ય કરીને શાંતિ મેળવી જો. પોકળ વાતો ન કર. સામાજિક વ્યવસ્થાઓ જરૂરી છે, તેનું તે રીતે સ્થાન છે. ધાર્મિક સ્થાનોનું માહાભ્ય પારમાર્થિક છે. તેનો લાભ પણ પારમાર્થિક છે. આમ કુતર્કથી લાભ નથી તેમ સાંભળ્યા પછી એમ નથી માનવાનું કે સુતર્ક-પૃછના કરવી જ નહિ અને શ્રદ્ધાથી માની લેવું. યુક્તિથી સમજવા જેવા તત્ત્વોને યુક્તિથી સમજવા જોઈએ અને ગુરુજનોએ તે રીતે સમજાવવા જોઈએ. બોધ ગ્રહણ કરવાવાળા સાધકને શ્રદ્ધાથી ન સમજાય તો બુદ્ધિથી સમજાવી દઢતા કરાવવી. તેને બુદ્ધિથી સમજાય પછી શ્રદ્ધા વધુ દૃઢ થાય છે. જો કે સદ્ગુરુ કે પ્રાજ્ઞ પંડિતો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કેવળ તર્કનો આશ્રય લેતા નથી પણ આગમનો આશ્રય લે છે. માટે કતકનો કદાગ્રહ ત્યજી (આગમ) શ્રત, શીલ (ગુણો) અને સમાધિ માટે પ્રયત્ન કરવો. યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૩૭ For Private & Personal Use Only દીપ્રાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy