SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪. દીપ્રાદેષ્ટિ / દી, એટલે દીપકની જેમ તેજસ્વી, આ દષ્ટિનો બોધ પહેલાની દષ્ટિઓ કરતાં વધુ તેજસ્વી છે એટલે દીપ્રા નામ સાર્થક છે. તેને ગ્રંથકાર ચાર વિભાગમાં સમજાવે છે. (૧) બોધ-દીપક સમાન (૨) ઉત્થાન દોષક્ષય (1) ગુણ પ્રાપ્તિતત્ત્વશ્રવણ (૪) ચોથું યોગાંગ-પ્રાણાયામ. - બોધ : આ દૃષ્ટિમાં પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં બોધ ઘણો અધિક છે. સાધક સમ્યકત્વની નજીક આવતો જાય છે. ત્રણાદિના અગ્નિ કરતાં દીવાનો પ્રકાશ વધુ તેજસ્વી છે, તેથી નાની મોટી બધી જ વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. અને વધુ સમય રહે છે. અર્થાત હેય ઉપાદેયનો સ્થૂલથી વિવેક છે પણ વિકસતો જાય છે. સમષ્ટિજ્ઞાની જેવો હજી સૂક્ષ્મબોધ નથી. પરંતુ કાળલબ્ધિ થતાં તરત જ અનુભવાત્મક સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરશે. દીપ્રાદષ્ટિવાળાનો બોધ લાંબો સમય ટકે છે. તે વ્યાખ્યાનાદિમાં બોધ સાંભળીને ઉઠે પછી તૃણાગ્નિની જેમ તરત જ વિલય થતો નથી પણ લાંબો સમય ટકે છે. તેનો દઢ સંસ્કાર જન્માંતરે પણ સાથે જાય છે. એટલે આવા જીવોના યોગમાર્ગના લક્ષણ જન્મ-બાળવયથી જ પ્રગટતા હોય છે. પૂર્વના આરાધનવાળા જીવોને બાળપણથી સંસારના ભોગની રૂચિ મંદ હોય છે. આ દૃષ્ટિમાં ભોગમાં ઉપાદેય બુદ્ધિ નષ્ટ પ્રાય છતાં સૂક્ષ્મબોધના અભાવે ઉપદેયતા આવી જવાનો સંભવ છે. આ દૃષ્ટિમાં આત્મબળની વિશેષતા હોવાથી પ્રયોગ સમયે કે પ્રતિકૂળતામાં આરાધનમાં ટકી જાય છે. છતાં હજી સૂક્ષ્મબોધ ન હોવાથી તેનું અનુષ્ઠાન ભાવપૂર્વકનું નથી હોતું તે દ્રવ્યાનુષ્ઠાન હોય છે. આથી અનુષ્ઠાન યોગ્ય પરિણામમાં ટકે છે પણ સૂક્ષ્મ ગુણ કે દોષને જાણી શકતો નથી કે આ અનુષ્ઠાનમાં પ્રમાદ થયો, ચપળતા થઈ કે આત્મિક વિકાસ થયો. છતાં પણ આ દ્રવ્યાનુષ્ઠાન ભાવિમાં સમ્યકત્વ ગુણસ્થાને ભાવઅનુષ્ઠાનનું કારણ બનશે. આ ચોથી દષ્ટિમાં હજી પ્રથમ ગુણસ્થાનકનો પ્રભાવ હોવાથી દ્રવ્યાનુષ્ઠાન છે. છતાં તે પ્રધાન દ્રવ્યક્રિયા છે. કારણ કે ઓઘદૃષ્ટિવાળા જીવોની તીવ્રપણે મોહનીયકર્મના ઉદયકાળે પૌગલિક સુખબુદ્ધિએ કરાતી ક્રિયા તે ધર્મક્રિયા છતાં અપ્રધાન દ્રવ્યક્રિયા છે જે ભાવક્રિયાનું કારણ બનતી નથી. માત્ર પાપાનુબંધી પુણ્ય પ્રમાણે હોય છે. જે આત્મવિકાસનું કારણ બનતી નથી. પરંતુ આ ચોથી દૃષ્ટિમાં હેય ઉપાદેય યોગદષ્ટિ સમુચ્ચય દિપ્રાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy