SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પેદા થાય છે. તેમાં તન્મય થઈ આત્માનંદને માહો છે. તરૂણ સુખી છી પરિવયોંજી, જિમ ચાહે સુગીત, ત્યમ સાંભળવા તત્વનેજી, એહ દેષ્ટિ સુવિનીત રે. જીનજી.” -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી આ જીવને પુનઃ પુનઃ શુભ ધારા વહ્યા કરે છે કે જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શું છે? આત્મા સ્વભાવે શુદ્ધ છતાં કષાયી કેમ થાય છે? મોક્ષમાર્ગનું તત્ત્વ શું હશે ? સિદ્ધોનું સ્વરૂપ કેવું હશે? મને મોક્ષ કયારે મળશે? કેમ મળશે ? આવા ચિંતનના કારણે તેનો કર્મમળ તૂટતો જાય છે. જીવ વધુ વિશુદ્ધ બનતો જાય છે. તેના જ્ઞાનાવરણ અને મોહનીયાદિ ઘાતકર્મોના રસ ઘટતા જાય છે એટલે આત્મજ્ઞાનરૂપી ગુણ સ્વયં પ્રકાશિત થાય છે. અને નવા રહસ્યો ખૂલતા જાય છે. જે તેને શાસ્ત્રનો યોગ થતા વિશેષ બોધદાયક થાય છે. આ તત્ત્વશ્રવણ-શુશ્રુષા જ્ઞાનરૂપી જળપ્રવાહ માટે સરવાણી તૂલ્ય છે. આ શુશ્રુષા ગુણ વિના તત્ત્વશ્રવણ, સરવાણી વગરના કૂપ જેમ વ્યર્થ છે. યોગાંગ-સુખાસન યોગના સાધનામાર્ગમાં શરીર બાહ્ય સાધન છે તેની સ્થિરતા આવશ્યક છે. યોગમાર્ગના દરેક ધર્માનુષ્ઠાનમાં સ્થિરતા, શાંતચિત્ત, અનાકુળતા રહેવી તે ભાવ આસન કે ભાવ સંલીનતા છે. એક આસને સ્થિરતાપૂર્વક બેસવું તે દ્રવ્યઆસન છે. સુખાસન છે. આ દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા બળવાન હોવાથી જીવના પરિણામમાં સ્થિરતા આવે છે. તેથી ક્રિયા દોષરહિત, ચંચળ પરિણામરહિત હોય છે. વળી સાંસારિક વૃત્તિ-પ્રવૃત્તિનો સંક્ષેપ હોવાથી ભોગતૃષ્ણામાં હેયબુદ્ધિ છે. તે ઉપરાંત ધર્મના ઉપકરણોમાં તેની શોભા વગેરેમાં રાગાદિભાવ થતા નથી. રાગદ્વેષની મંદતા હોવાથી આ જીવ સાંસારિક સામગ્રીમાં અનાસકત છે તેમ ધર્મકાર્યની સામગ્રીમાં પણ અનાસક્ત છે તેમાં અનુકૂળતા શોધતો નથી કે મમત્વ રાખતો નથી. ઉપકરણોનું પ્રયોજન આરાધના પૂરતું છે. કારણકે ઉપકરણો પણ પરપદાર્થો છે. તેની ઉત્પત્તિમાં કંઈ પણ હિંસા રહેલી છે, તેમાં રાગ થવો તે ભાવહિંસા છે. માટે ઉપકરણોની આવશ્યકતા છતાં લોભવશ તેમાં વૃદ્ધિ કરતો નથી, મર્યાદા રાખે છે. આમ બાહ્ય અને અંતર બન્ને ઉપકરણો સમજવાના છે. ઉપકરણોની શોભા જોઈ તેની આંખ ચમકતી નથી, તે અપ્રશસ્તભાવ છે. પરંતુ ઉપકરણોનો ઉપયોગ કરી લે છે. આ દૃષ્ટિવાળાના પરિણામમાં વક્રતા નથી પણ પરિણામની ઋજુતા હોવાથી વિષય કષાયના પરિણામની ઘણી મંદતા છે. સરળચિત્ત હોવાથી તેનું લક્ષ્ય દઢ બનતું જાય છે. તે ભાવ આસન છે તેમાં સ્થિરતા માટે કોઈ એક આસન સિદ્ધ થવું જોઈએ. પદ્માસન, વજાસન, પર્યકાસન કે સામાન્ય પલાંઠી-સુખાસન યોગદષ્ટિ સમુચ્ચય ૨ ૨૪ બલાદષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy