SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાન કરતો નથી. લોકરંજન માટે, પ્રભાવનાની લાલચથી, સુખસગવડતાની ઈચ્છાથી રાગ કે માન ને કારણે કે ભાવી સુખના ફળની ઈચ્છાથી અનુષ્ઠાન કરતો નથી. એ તો મુક્તિમાર્ગના, વીતરાગના માર્ગનો પ્રવાસી છે. વચમાં આવતા બાધક તત્ત્વો દૂર કરતો જાય છે. કુશલચિત્તના આ લક્ષણો છે. બાહ્ય અપ્રમત્તદશાવાળા મુનિ અલ્પપણે સરાગી હોવા છતાં વિતરાગભાવને પામ્યા હોય તેવા હોય છે. તેથી મિથ્યાત્વનો ઉદય છતાં તે અતિ મંદ હોવાથી તેમને સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ ઘટી શકે છે. માટે પણ તે પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ કરે છે. જેમ આંધળો માણસ પુણ્યશાળી હોય તો તેને કોઈ દોરનાર ન હોય તો પણ અનુમાનથી અથડાયા વગર ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. તેમ યોગબીજની પ્રાપ્તિ થતા જીવને સન્માર્ગદર્શક ગુરુનો યોગ ન હોય ત્યારે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મળી રહે છે. તે યોગબીજનો મહિમા છે. મોક્ષમાર્ગને અનુસરતા ગુણોનો વિકાસ થાય છે. સંશુદ્ધ કુશલચિત્તની વિશેષતા : (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અત્યંત ઉપાદેય-ભક્તિભાવ. પ્રભુની વીતરાગતા તથા ઉપાસના પ્રત્યે ભરપૂર આદર. એ પરમાત્માની ભક્તિ કરવા માટે અત્યંત તત્પર છે. પોતાની સુખ સગવડતા ગૌણ કરે છે. (૨) આહારાદિ પૂર્વસંસ્કાર યુક્ત સંજ્ઞાનો સંયમ કરે છે. સાધના કાળે કે આગળ પાછળ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ સંજ્ઞાનું બળ નિર્બળ બને છે. (૩) સાંસારિક સુખની અપેક્ષા વગરનું કુશળ ચિત્ત છે. મુક્તિ પ્રાપ્ત કરવી છે ને ? તેમાં સાંસારિક સુખેચ્છા બાધક છે. આલોક કે પરલોકને વિષે સાંસારિક સુખેચ્છા અહિતકારી છે. સાંસારિક સુખની અભિલાષાવાળુ ધર્માનુષ્ઠાન રાગભાવની મલીનતાવાળું છે. તે વિષમિશ્રિત દૂધ જેવું છે. દૂધ કેસર સાકર કે ઈલાયચી યુક્ત સુંદર હોય પરંતુ તેમાં વિષ ભળે તો તે દૂધ અપેય થઈ જાય છે. તેમ સુખના રાગપૂર્વકનું ધર્માનુષ્ઠાન મુક્તિનું પ્રતિબંધક બને છે. તેથી આ મિત્રાદેષ્ટિવાળા સાધકનું ધર્માનુષ્ઠાન આસક્તિરહિત કુશલચિત્તાદિ જે યોગબીજ છે તે સંશુદ્ધ છે. પરમાત્મા પ્રત્યેનું સંશુદ્ધ કુશલચિત્ત તે પ્રથમ યોગબીજે છે. પરમાત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ થયું છે તે આપણા સ્વરૂપના દર્શનનું ઉપાસનાનું મહાનિમિત્ત છે. પુષ્ટ અવલંબન છે. (૨) ભાવાચાર્યાદિની સંશુદ્ધ વૈયાવચ્ચઃ પરમાત્માની ભક્તિમાં જેમ યોગદૃષ્ટિ સમુચ્ચય મિત્રાદેષ્ટિ ૨૦૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy