SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિને વરેલા હોય. છતાં હજી મિથ્યાગુણસ્થાનકે હોવાથી જન્માંતરે દેવલોકના અધિકારી થાય પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. જો કે મિત્રાદષ્ટિનું માહાભ્ય એ છે કે જીવની ધર્મરૂચિ-પરિણામ કાળક્રમે મોક્ષનું ફળ આપવા સમર્થ છે. પ્રવેશ દ્વાર છે, તેથી યોગબીજ કહેવાય છે જે બીજાધાન પણ કહેવાય છે. યમના આ પાંચ મહાવ્રત સાધુજનોને આજીવન હોય છે. શ્રાવકને દેશવ્રત અલ્પપણે હોય છે. આમ પ્રથમ દૃષ્ટિ છતાં પાત્રતા ઉચ્ચ કક્ષાની જણાવી છે. સાધુ હો કે સાધક હો અંતર પરિણામશુદ્ધિ ઉપર જ આ દૃષ્ટિનો વિકાસ અવલંબે છે. માટે શુદ્ધ ઉપયોગને ધર્મ કહ્યો છે. યોગદષ્ટિનો હેતુ શુદ્ધાવસ્થાનો છે. તેથી સાધકે આ દૃષ્ટિનો વિચાર કરી પોતાનો વિકાસપંથ ઉજાળવા પ્રયત્ન કરવો. આ દૃષ્ટિના મર્મને જાણીને વિચારવું કે હું કયાં છું? પાંચ યોગબીજો : ધર્મ-પરમાર્થ કેવો રળિયામણો છે. જેમાં કેવા ગૂઢ રહસ્યોનું સંકલન છે. આ માર્ગે જીવ ઝૂકયો કે નિગ્રહ કે અનુકુળ યોગ મળ્યા જ કરે. (૧) જિનેશ્વરદેવોને વિશે સંશુદ્ધ કુશળચિત્ત. (૨) ભાવાચાર્યોની સંશુદ્ધ વૈયાવચ્ચ. (૩) સહજ એવો ભવવેરાગ્ય. દ્રવ્યથી અભિગ્રહનું પાલન. (૫) શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખનાદિ. “ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજસુણે હોય, ઉત્તમ નિમિત્ત સંયોગીરે'' –આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિ એટલે આધ્યાત્મિક-આત્મિક વિકાસ. તેમાં અનેક ઉત્તમ સંયોગોની પ્રાપ્તિ થાય અને આંતરિક રીતે ભાવાનાઓનો વિકાસ થાય તેના વિવિધ પ્રકારો હોય છે, તેમાંના અહીં પાંચ પ્રકારો જણાવ્યા છે. સાધકની યોગદષ્ટિ એ ઉત્તમ મૂડીનો સંચય છે. એને યોગ બીજાધાન કહેવાય છે. પંચસૂત્રમાં જણાવ્યું છે કે પાપપ્રતિઘાત થાય પછી બીજાધાન હોય છે. કર્મબીજ પરિણામે સંસારનું ફળ છે. યોગબીજ એ પરિણામે મોક્ષનું ફળ છે. બીજાધાન : યોગબીજની પ્રાપ્તિ. (પાત્રતા) (૧) જિનેશ્વરદેવો પ્રત્યે સંશુદ્ધ ચિત્ત : સાધક તથાભવ્યત્વના પરિપાકથી ચરમયથાપ્રવૃત્તકરણમાં સ્થિતિ કરે છે, ત્યારે ભાવમલની ઘણી મંદતા થાય છે, ત્યારે ચિત્તને સંશુદ્ધ કહેવાય છે. જિનેશ્વરની ભક્તિમાં સાંસારિક ફળની ઈચ્છારહિત, હૃદયના ભાવથી પરલોકના કોઈપણ ફળની યોગદષ્ટિ સમુચ્ચય મિત્રાદેષ્ટિ ૨૦૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy