SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. દુ:ખી જીવો પ્રત્યે હાર્દિક-અત્યંત દયા અને જિનાજ્ઞારૂપ દ્રવ્ય દયા-પરદયા ભાવદયા-સ્વદયાના પરિણામ થાય છે. તેમાં તેને પુણ્યની અપેક્ષા નથી. અન્યના દુઃખ દૂર કરવામાં પ્રયત્નશીલ હોય છે. સૂક્ષ્મ જીવો પ્રત્યે અહિંસાભાવ ધારણ કરે છે. ૨. ગુણીજનો પ્રત્યે બહુમાન : યોગદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિ જીવો પ્રત્યે તથા સહજ ક્ષમાદિ ગુણો, તેવા ગુણવાનો પ્રત્યે બહુમાન હોય છે. પોતે તેવા ગુણોનું ઉત્તમ પ્રકારે પાલન કરી શકતો નથી. પણ ગુણાનુસારી છે. ૩. ઔચિત્યનું સેવન : પોતાની ભૂમિકા પ્રમાણે સદાચાર, નીતિ, અનુકંપા, પરોપકારનું પાલન કરે છે. ખંતથી ધર્માનુષ્ઠાનો કરે છે. તપ, ત્યાગ કરે છે. છતાં મિથ્યાત્વના દોષે ઓઘષ્ટિમાં છે. છતાં અત્યંત અલ્પપણે વિકાસશીલ છે. આ જીવની યાત્રા આગળ વધે છે એટલે અપુનબંધકદશામાં આવે છે. આ જીવમાં પાપભીરુતા આવે છે. તેની પાપપ્રવૃત્તિમાં તીવ્રતા ઘટે છે. સીત્તેર કોડા-કોડી સાગરોપમ જેવી દીર્ઘ સ્થિતિ પ્રાઃયે બાંધતો નથી. મિથ્યાત્વની હાજરી છતાં કર્મભાર હળવો થાય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે. (૧) મોક્ષનો અદ્વેષ-રૂચિ, સંસારના સુખમાં કંઈક દુઃખરૂપતા માને છે. એટલે હવે સંસારના રાગને બદલે મોક્ષમાર્ગની રૂચિ થાય છે. (૨) સંસારમાં છે પણ રાચી માચીને સંસારના કાર્યો કરતો નથી. (૩) પાપપ્રવૃત્તિથી ડરનારો હોય. બોધશ્રવણની જિજ્ઞાસા જાગે છે. આમ છતાં ઓઘદૃષ્ટિને કારણે તેના તપ, જપ, આરાધના, ઉપધાન, યાત્રા, ધર્મક્રિયાઓ નિર્જરાનો હેતુ બનતી નથી. શુભભાવને કારણે પુણ્યબંધ કરે છે. સંસારના સુખનો રાગ બાધક નીવડે છે. દુઃખરૂપ માનવા છતાં તે રાગ છોડી શકતો નથી. સંસારના પ્રયોજન ગૌણ કરી પૌષધાદિ કરે. પરંતુ નિવાસે જાય, ઘરની સુખ સંપન્નતામાં, પુત્રાદિ પરિવારમાં, રાગના ભાવ થાય. સૌના પ્રીતિભાવથી પ્રભાવિત થાય. પરિવારના દુઃખે દુ:ખી થાય. જો કે બધી ધર્મક્રિયા ભાવથી કરે. આશાતના રહિત કરે. ગુરુજનો પ્રત્યે ઉત્સાહથી વિનય વૈયાવૃત્ત કરે. પણ પેલું મિથ્યાત્વનું જોર તેને રાગથી ભિન્ન છું તેવું ભાન સુદ્ધા થવા ન દે. રાગાદિનો કર્તા થઈ ભોક્તા થાય. છતાં તેના કરેલા તપ, જપ આદિ તથા અન્ય લક્ષણો તેનો વિકાસક્રમ જાળવે છે તેથી તે હવે માર્ગાનુસારિતા-મોક્ષમાર્ગને યોગ્ય ગુણોમાં પ્રવેશ કરે છે. તેને કારણે તેનું મિથ્યાત્વ અત્યંત મંદ પડે છે. તેથી ભવસ્થિતિ પરિપાક થાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૧૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy