SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦. ગ્રંથકારનું નિવેદન : સમુદ્રમાંથી કાઢેલા જીર્ણ કોડી જેવી જિનશાસનરૂપ સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથારૂપ પ્રશમરતિને ભકિતથી સાંભળીને ગુણદોષના જ્ઞાતા સજ્જનોએ દોષો છોડીને થોડા પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ અને પ્રશમસુખમાટે સતત સર્વ પ્રકારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ આખરી નિવેદનમાં પણ ઋજુભાવે જણાવ્યું છે કે જિનશાસનના મૃતસાગરમાંથી અપેક્ષાએ આ પ્રશમરતિનું રજુ કરેલું મૃત કોડી સમાન ઘણું અલ્પ છે. મેં તો ફકત ભક્તિથી પ્રેરિત થઈ જિનશાસનરૂપ સાગરમાંથી આ ધર્મકથા ઉધૃત કરી છે. જે પરમાત્માનું ધર્મશાસન પામીને સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આરાધી શકાય તે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાભાવ ઉભરાય તે સ્વાભાવિક છે. ગ્રહણ કરેલા ગુણોથી જ સતત અને સમગ્રપણે પ્રશમસુખ માટે પ્રયત્નશીલ બની શકાય છે. દોષવાળો માનવ કયારે પણ પ્રશમરસનું સુખ અનુભવી નહિ શકે આ જીવનમાં પ્રશમસુખ માટે જ ઝઝૂમવાનું છે. અંતમાં જણાવે છે કે હે કરૂણાવંત ! આજના આ પ્રસંગે તમારા ચરણમાં ભક્તિપૂર્ણ હૃદયે પ્રણિપાત કરું છું. સૌ મુમુક્ષુઓ ઉપશમ રસને માણી વિષાદમુક્ત બને. આસક્તિ અને અભિમાનના આવરણો ચીરી શકે તે માટે પ્રશમરતિ ગ્રંથની રચના કરી છે. હે પિતા! તમારા આ બાળકને સ્નેહનું સિંચન કરી ભૂલો હોય તો માફ કરજો. શબ્દોની દીર્થયાત્રા પૂરી થઈ તેમાં આપનોજ અનુગ્રહ છે. છતાં અજાણતા થયેલી ભૂલોને ક્ષમા કરજો. સંકલનકારની ક્ષમાયાચના : પ્રસ્તુત ગ્રંથનો સંક્ષિપ્તસાર લખવાનો અધિકાર ન હોવા છતાં આ બાળચેષ્ટા કરી છે, તો હે પ્રભુ! આ સંકલનારને પણ ક્ષમા કરશો. જો કે આ લેખન સ્વસ્વાધ્યાયની નોંધ માટે કરવાની ભાવના હતી. પરંતુ ગ્રંથને સંક્ષિપ્ત કરતા પણ લેખ શતક પર પહોંચ્યો અને તેનું પ્રકાશન થાય તેવો સહજ યોગ અને માંગ થવાથી પ્રકાશન થયું છે. તે સ્વ-પર શ્રેયની ભાવનાવાળું છે તેથી પુનઃ ક્ષમાયાચના કરું છું. પ્રશમરતિ Jain Education International ૧૮૮ For Private & Personal Use Only ગ્રંથકારનું નિવેદન www.gainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy