SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સામર્થ્યવાળો પ્રયોગ કેવળી ભગવંત જ કરે છે. આ પ્રમાણે સમુદ્દાતની ક્રિયાથી નિવૃત્ત થઈ કેવળજ્ઞાની મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરે છે. અજીવ સમુદ્દાત : ઉપરના સાત સમુદ્દાત જીવો અનુભવે છે. જયારે અજીવ સમુદ્દાત અનુભવરૂપ નથી કારણ કે અજીવને અનુભવ ન હોઈ શકે. સ્વભાવથી ઉત્પન્ન થતા પુદ્ગલ પરિણામથી અચિત્ત મહાકંધ રૂપ સમુદ્દાત થાય છે. તેનો કાળ આઠ સમયનો છે. વેદનાદિ સમુદ્દાતમાં કર્મના અંશો નાશ પામે છે. આ સમુદ્દાતમાં જબરજસ્ત પરિણમન થતું હોય છે. : ૨૯. યોગ નિરોધ સમુદ્ઘાતથી નિવૃત્ત થઈ કેવળી ભગવાન યોગનિરોધને સ્વીકારે છે. મન-વચન-કાયાના યોગથી આસ્રવ થાય છે, આસવ બંધનું કારણ છે. કર્મના નાશ માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયાનો કાળ અંતર્મુહૂર્તનો છે. મનાદિયોગના અવલંબનથી આત્મ પ્રદેશોનું પરિસ્કંદ તે યોગ છે. જે આસવનું નિમિત્ત છે. કેવળીને મનાદિ યોગ છે. ઘાતીકર્મ નથી એટલે ત્રણ સમયનો ઈર્યાપથ આસવ હોય છે. મોક્ષે જતાં પહેલા અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે કેવળી યોગનિરોધ કરે. સર્વ પ્રથમ બાદર કાયયોગ વડે મનોયોગને રૂંધે પછી સૂક્ષ્મ મનોયોગ કરી બાદર વચનયોગને રૂંધે, પછી સૂક્ષ્મ કાયયોગ કરી બાદર કાયયોગને રૂંધે પછી વળી તેમ કરીને સૂક્ષ્મ મનોયોગને રૂંધે. પછી સૂક્ષ્મ વચન યોગને પછી સૂક્ષ્મ કાયયોગને રૂંધે તે સમયે શુકલધ્યાનનો ત્રીજો પ્રકાર સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે. પ્રથમ બાદર કાયયોગ વડે મનોરૂંધન, પછી વચન યોગ અને છેવટે સૂક્ષ્મ કાયયોગ રૂંધે. આમ પર્યાપ્તિના ક્રમમાં મનોયોગ છેલ્લો-મોડો છે. પરંતુ નિર્વાણ સમયે તે પ્રથમ જાય છે, પછી વચનયોગ જાય છે. કાયયોગના અવલંબનથી સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાનથી ક્રિયાઓ સમાપન થઈ છે તે પછી હવે શુકલધ્યાનમાં ચોથો પાયો ધ્યાવે છે. શુકલધ્યાનનો ત્રીજો પ્રકાર તે નિર્વાણ અગાઉ પાંચ હૂસ્વાક્ષર કાળે થાય છે. અ, રૂં, ૩, ૬, રૃ બોલતા જેટલો સમય જાય તેટલા સમયમાં નિર્વાણ પામતો જીવ મુક્ત થવાનું કાર્ય સિદ્ધ કરી લે છે. તે શુકલધ્યાનનો ચોથો ભેદ છે. પ્રશમરતિ Jain Education International ૧૮૬ For Private & Personal Use Only યોગ નિરોધ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy