SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. ચારિત્રની સ્થિરતા દર્શનને, જ્ઞાનને નિર્મળ કરે છે. દર્શન જ્ઞાનની શુદ્ધિ ચારિત્રની સ્થિરતામાં વૃદ્ધિ કરે છે. બારમા ગુણસ્થાનકે પૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રગટ થતાં તેરમું ગુણસ્થાનક પ્રગટ થાય છે. એટલે દર્શન જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. અંતે ચૌદમાં ગુણસ્થાનકે જીવ મુક્ત થાય છે. સિદ્ધ થાય છે. IIIIIIIIIIIIIIIIIIIII ર૩. રત્નત્રયનો આરાધક કોણ ? હે આત્મન ! આ રત્નત્રય શુદ્ધાત્માની પાત્રતા છે. તેનો આરાધક ક્ષમાદિ ધર્મોનું પાલન કરે છે. ઔચિત્ય ક્રિયામાં શ્રદ્ધાશીલ અને અપ્રમાદિ હોય છે. રત્નત્રય એ તો તરણતારણ જહાજ જેવું છે. જેમ જહાજના ચાલકની કુશળતા જરૂરી છે તેમ રત્નત્રય જહાજના ચાલકની પાત્રતા અત્યંત જરૂરી છે. સમગુદર્શન એટલે સમ્યગુ શ્રદ્ધા. તે સંસારના પદાર્થોથી તદ્દ ભિન્ન પ્રકારની છે. ક્ષમા આદિ અનેક ગુણોથી વિભૂષિત છે. હેય, જોય, ઉપાદેયના વિનયયુક્ત છે. જડ ચેતનની ભિન્નતાની પ્રતીતિરૂપ હોય છે. આ જીવ આવશ્યક ક્રિયાધર્મ અને ભાવધર્મમાં નિપૂણ હોય છે. મૈત્રી આદિ ભાવનાથી વિભૂષિત હોય છે. તે સમયે ભૂમિકાને યોગ્ય ક્રિયા ધર્મનું પાલન કરે છે. અપ્રમત્ત રહીને શુદ્ધભાવમાં શ્રદ્ધાપૂર્વક ઉદ્યમશીલ હોય છે. સંપૂર્ણ વિશુદ્ધ આત્મ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવાળો હોય છે. તે માટે પરિષહો, ઉપસર્ગો, કષ્ટોને સમભાવે સહી લે છે, પરિણામે મુક્તિ પામે છે. ગ્રંથકાર આવા આરાધકને જણાવે છે કે હે આત્મન ! તારી આરાધના નિરતિચાર છે. આત્મભાવ અત્યંત શુદ્ધતામાં સ્થિરતા પામ્યા છે તો સંભવ છે કે તારી મુક્તિ આ ભવે કે ત્રીજા ભવે શક્ય છે. (દેશ કાળ પ્રમાણે) તારી આરાધના મધ્યમ કક્ષાની છે તો પાંચ સાત ભવે પણ તારી મુક્તિ છે. સંભવ છે કે તારી આરાધનાની ગતિ મંદ છે તો આઠ કે પંદર ભવ થાય, પણ કયારે ? તારી એ આરાધના નિરંતર ચાલતી રહે. જઘન્યથી મધ્યમ અને મધ્યમથી ઉત્કૃષ્ટ કક્ષાની થતી રહે તો તારા મોક્ષને રોકવાવાળી કોઈ શક્તિ નથી. તારી સ્વભાવ શક્તિનું સામર્થ્ય જ એ છે કે તને મુક્તિપૂરીમાં લઈ જાય. માટે રત્નત્રયના જહાજને સંભાળજે. પૂર્ણતા પામે બાહ્યઅવલંબન છૂટી જશે. પ્રશમરતિ ૧૬૬ રત્નત્રયનો આરાધક કોણ? For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy