SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિએ સ્થળ છે. મન:પર્યવજ્ઞાન સૂક્ષ્મ છે. વળી આ જ્ઞાન સંયતિ મુનિને હોય છે, તેવું વિશુદ્ધ છે. ૫. કેવળજ્ઞાન : પરિપૂર્ણ શુદ્ધ અસાધારણ અનંત છતાં એક જ ભેદવાળું છે. ત્રણે કાળ ત્રણે લોકના દ્રવ્ય, ગુણ અને સર્વ પર્યાયોને રૂપી, અરૂપી પદાર્થોને યુગપતું જાણે તેવું અપેક્ષાએ દર્પણ જેવું શુદ્ધ અને પરિપૂર્ણ છે. નિશ્ચયથી કેવળજ્ઞાન પોતાના પ્રદેશમાં રમણતારૂપ છે. ચાર ઘાતકર્મનો નાશ થવાથી આ અનંતજ્ઞાન પ્રગટ થાય છે. જીવનું જ્ઞાન સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થાય છે. સમ્યગૃષ્ટિના ત્રણે જ્ઞાન સમ્યગૂજ્ઞાન છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન મિથ્યાત્વ સહિતના મિથ્યાજ્ઞાન ગણાય છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ મતિ, શ્રુત જ્ઞાન અતિ અલ્પ છતાં મોક્ષાભિમુખ હોવાથી તે જ્ઞાનનો મહિમા છે. મિથ્યાષ્ટિ નવપૂર્વનું જ્ઞાન જાણે છતાં તે સંસારવૃદ્ધિનું કારણ છે. મોક્ષફળમાં ઉપયોગી નથી. તે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન કહેવાય છે. તે અજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ છે. મોક્ષ પામવાનું સાધન આત્મજ્ઞાન છે. સમ્યગ્રચારિત્ર : ચારિત્રના મુખ્ય પાંચ ભેદ છે. ૧. સામાયિક ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહાર વિશુદ્ધિ ૪. સૂક્ષ્મસંપરાય ૫. યથાખ્યાત સમ્યગુચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. સર્વ પ્રથમ દર્શનમોહના ક્ષયાદિ અને અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયોપશમ આદિ થાય ત્યારે ચારિત્ર ધર્મ પ્રગટે છે. સામાયિક રાગદ્વેષની મંદતા સમ, વિશુદ્ધિનો લાભ-આય, સામાયિક તે સર્વ પાપવ્યાપારની નિવૃત્તિરૂપ ચારિત્ર છે. સામાયિક, પરિમિત કાળનું ગૃહસ્થને અને જીવનપર્યત સાધુજનોને હોય છે. છેદોપસ્થાપનીય : સાધુ-સાધ્વી પાંચ મહાવ્રતો ધારણ કરે. પછી ખંડન થયું હોય તો પુનઃ પાંચવતો આપવામાં આવે. (હાલ વડીદીક્ષા) પરિવાર વિશુદ્ધિ : ચારિત્ર ગુરુ આજ્ઞાથી વિશેષ સાધના માટે સમુદાયથી દૂર એકાંતવાસમાં જાય. તેનું ચોક્કસ પ્રકારનું વિધાન છે. તે શાસ્ત્રમાંથી જાણી લેવું. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર : દસમા ગુણસ્થાનકે મુનિમહારાજને હોય, જયાં કષાયની અતિ અલ્પતા છે. જે દસમાને અંતભાગે નાશ પામે છે. પ્રશમરતિ ૧૬૪ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy