SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ જેમ લોકવિરૂદ્ધ ન જવું તેમ લોકની ખુશામતમાં પડીને સંયમની વિરાધના પણ ન કરવી. તેઓ જેમ સંયમપાલન માટે કે શરીરના નિભાવ માટે ઉપયોગી થાય છે તેમ સાધુજનોએ તેમને ધર્મનો સાચો લાભ આપવો. લોકસમૂહ આ કાળે ખૂબ સાધન સગવડવાળો બનતો જાય છે. તેથી તેઓ પોતાના સ્વજનો કે જે સાધુ થયા છે, તેમના પ્રત્યે સભાવ થાય, તેથી તેમને કિંમતી, અલંકારિક વસ્તુઓ વહોરાવવાનો ભાવ થાય તે સમજી શકાય છે છતાં ઔચિત્ય જાળવવું. ત્યાગ વૈરાગવાળા શ્રમણે આકર્ષક વસ્તુઓને સ્વીકારવી નહિ કારણકે તેમાં પૌદ્ગલિક ભાવ પોષાય છે જે મોક્ષમાર્ગને બાધક છે. વસ્તુઓનું તેમ સ્થાનનું છે. ગૃહસ્થ સદ્ભાવપૂર્વક સ્થાન આપે તો જ સ્થિરતા કરવી. સ્વચ્છતા અને સમય જાળવવા. આમ સંયમ સ્વીકાર્યા પછી તે શુદ્ધ અને દઢપણે પાળવામાં ત્રણે યોગની ખૂબ જાગૃતિ જરૂરી છે, અથવા અજાગૃતિના છિદ્રો દ્વારા કયારે મલીનતા મમતા પ્રવેશ કરી લે અને સંયમનું શિર્ષાસન થઈ જાય તે કળી શકાતું નથી આથી આ કાળમાં ત્યાગીજનો પણ ભોગીજનોના સંપર્કે શિથિલ બને તેવી સંભાવના છે. જેમકે, પ્રથમ પોતે તો ફોન કરે નહિ, કરાવે. પછી સાધન રાખતા થાય. સંયમ છે માટે અપવાદે અભક્ષ્ય ઔષધ પણ સેવે, આહાર અભક્ષ્ય ન ખપે તેમ ઔષધનું છે. અપવાદ તો પ્રાણ સાટે લેવાનો છે. દેહની મૂછ કે મનોભાવનાના પોષણ માટે આહાર કે ઔષધ નથી. તો જ સાધુજીવનનો આદર્શ ટકે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનું યોગ્ય ઔચિત્ય જાળવવું. સાધુચર્યા : સાધુજનો પ્રાયે તપસ્વી છે. મિતાહારી છે તેથી તેમને નિરોગીતાની બક્ષિસ છે, છતાં પૂર્વના કોઈ અપરાધથી અશાતા આવે ત્યારે સમાધિ ટકાવવા પ્રયત્ન કરે, ન છૂટકે ઔષધિનો ઉપયોગ કરે. અર્થાત આહાર, સ્થાન, વસ્ત્ર, પાત્ર વગેરે તમામ વસ્તુને જયણા અને જરૂરપૂર્વક જ કધ્ય છે. કશુ જ મર્યાદા બહાર નહિ. શુદ્ધધર્મના પાલનમાં અપરિગ્રહી સાધુને વર્તમાનજોગ હોય. જરૂરી સાધનો પણ અલ્પ હોય, વધુ નહિ. તેમને વળી શંકા શાની હોય કે જરૂર પડે વસ્તુ નહિ મળે તો ! શરીર કે ઉદર નિભાવના સાધન સિવાય એક સોય જેટલી પણ વસ્તુ વધારે ન હોય. વળી તેમાં ઈનિષ્ટ ભાવ ન હોય. દેહનું મમત્વ પ્રશમરતિ ૧૩૯ For Private & Personal Use Only પ્રવજયા www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy