SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - $ 4 આઠ રસની તાત્ત્વિક સમજ શૃંગારરસ - સાધક માટે આનંદની અનુભૂતિરૂપ હોય છે. ૨. કરૂણારસ - જ્ઞાનીજનોને દુઃખીજીવો પ્રત્યે કરૂણારસ હોય છે. ૩. ભયાનકરસ - સંસાર દુઃખથી ભરેલો ભયાનક છે. ૪. બિભત્સરસ - વિષયો વિષ્ટારૂપ બિભત્સ છે. ૫. રૌદ્રરસ - કષાયો પ્રત્યે રૌદ્રતા રાખી દૂર કરવા. ૬. હાસ્યરસ - ચિત્તની પ્રસન્નતારૂપ, હાસ્ય અન્યોન્ય સુખરૂપ હોય છે. વીરરસ - સંયમ માર્ગે શૂરવીર રહેવું. વિસ્મય - સંસારની વિચિત્રતા જોઈ જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે. ૯. શાંતરસ - રસાધિરાજ જીવનમાં શાંતિ આપે છે. તે આત્મશાંતિરૂપે પરિણમી મુક્તિ આપે છે. વાસ્તવમાં આ શાંતસુધારસ ગ્રંથ એટલે વૈરાગ્યની જનનીરૂપ અનિત્યાદિ બારભાવનાનું સ્વરૂપ છે. જે વૈરાગ્ય જીવને સર્વ ઉપાધિરહિત આત્મશાંતિ પ્રદાન કરે છે. તેમાં એ વૈરાગ્યને ઝળહળતો રાખવામાં મૈત્રી આદિ ચાર ભાવનાઓ કળશરૂપ છે. આથી આ ભાવનાઓનું સેવન સાધક, સાધુગણ, યોગીજનો કરે છે. ભાવનાઓથી ભાવિત ચિત્ત પવિત્ર બને છે, તેથી કર્મ નિર્જરા માટે પણ આ ભાવનાઓનું ચિંતન મનન કરી ભાવિત થવું. આ ભાવનાઓથી સાધુજનોના મહાવ્રતની દઢતા વધે છે. સવિશેષ શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર મૂર્તિપૂજક તથા સ્થાનક્વાસી સર્વ જૈનપંથને અનુસરનારા સૌને આ બાર ભાવનાઓ સુપ્રાપ્ય અને સુવાચ્ય તો છે જ, તે સુપાચ્ય ક્રવાની છે. શાંતસુધારસમાં શબ્દરૂપે બાર ભાવનાઓથી ભાવિત આત્માને મળતું શુદ્ધસ્વરૂપ છે તેથી તે સુધારસ છે, સર્વ વિભાવજનિત પરભાવોથી મુક્ત આત્મશાંતિ પ્રદાતા છે. તેના રસાસ્વાદ માટે છ માસ કે દીર્ઘકાળ આ ભાવનાઓથી ચિત્તને ભાવિત કરવાથી શાંતરસનો આસ્વાદ મળે છે. શાંતસુધારસનો એક ઉત્તમભાવ એ છે કે તેમાં અતિન્દ્રિય સુખનો આનંદ સમાયેલો છે તે ઈન્દ્રિયાતીત છે, અનિર્વચનીય છે. ચિંતનયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy