SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. વળી પૃથ્વીકાયાદિના જીવોની હિંસા થાય તેવા આરંભ સમારંભ કરતો નથી, કરાવતો નથી કે અનુમોદન આપવા માટે મનાદિ યોગને જોડતો નથી. અહીં તો અઢાર હજાર શીલના અંગોના મર્યાદિત અધ્યવસાય દર્શાવ્યા છે. શ્રમણો અપ્રમત્તભાવે ધીર અને વીરપણે રહી સર્વતોમુખી આરાધના કરે છે અને મુક્તિ પામે છે. સામાન્ય સાધકે ભાવના તો આ જ કરવાની છે. અને ભૂમિકા પ્રમાણે આરાધના કરવાની છે. ૮. પરિણામની અપૂર્ણતા : અર્થાત્ અધ્યવસાયની વિશુદ્ધ ધારા અપૂર્વકરણ સમ્યકત્વ અને શ્રેણિમાં હોય છે. પૂર્વે કયારેય પણ આવું શુદ્ધિકરણ થયું નથી. તે વિશુદ્ધ ઉપયોગની ધારા બાહ્ય કોઈ અવલંબન પર આધારિત નથી. પૂર્વશ્રુત અને સ્વાત્મામાંથી એ પવિત્ર ઝરણું વહે છે. સાધુજનોના સંયમની પવિત્રતાનું અપૂર્વ પરિણમન ચરમસીમાનું હોય છે. તેથી સાધક કયાં તો સમ્યકત્વ પામે છે, આખરે શ્રેણિએ આરૂઢ થઈ મુક્તિ પામે છે. ૯. શુદ્ધના લક્ષની શુભ ભાવનાઓ : પાંચ મહાવ્રતોમાં દઢ રહેવા દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. આ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવના, ચાર મૈત્રી આદિ ભાવના, આ તો આત્માનો વૈભવ છે, અનેક ભાવનાથી ભરપૂર છે. આથી મહાવ્રતધારીને કોઈ પણ સમયે કોઈ ભાવના તો ચાલુ જ હોય. તેથી મહાવ્રત કષ્ટદાયક ન લાગે, વળી પ્રમત્તદશામાં ભક્તિ આદિ શુભભાવ હોય ત્યારે પણ જેટલા કષાયનો અભાવ છે તેટલી શુદ્ધતાથી નિર્જરા ચાલુ છે. ૧૦. શાસ્ત્ર સિદ્ધાંતોમાં ભાવનાજ્ઞાનનું ભાવન : ભાવનાજ્ઞાન પરિણતિરૂપ છે. તે પહેલા સાધક શ્રુતજ્ઞાન દ્વારા સિદ્ધાંતોને જાણે છે, તેના પર ચિંતન કરે છે તે ચિંતાજ્ઞાન છે, તે ચિંતનમાંથી જે શુદ્ધ અંતરધારા પ્રગટી તે ભાવનાજ્ઞાન છે. તે ધારામાં સાધક આત્માનંદને, સ્વસંવેદનને અનુભવે છે. તે સિવાય હું વિદ્વાન, શાસ્ત્રજ્ઞ છું તે ફોગટ પ્રલાપ છે. ભાવનાજ્ઞાન તો અનુભવાત્મક છે. ૧૧. વૈરાગ્ય-વીતરાગતાનું સુખ ઃ સાધક સાધનાની વિશેષતામાં આગળ વધતો જાય છે. પૂર્વે વિવિધ ભાવોલ્લાસ દ્વારા, હવે વૈરાગ્યપથમાં દઢ થયો છે. સાધુ-મુનિજીવનના પ્રાણ વૈરાગ્ય છે. પ્રથમ અંક છે તો પછીના મીંડાનું માહાભ્ય વધે છે. તેમ પ્રશમરતિ ૧૧૭ આત્મસાધકની તેર વિશેષતાઓ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy