SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ માની વ્રતાદિથી દૂર ભાગે છે. ત્યાગવા જેવું છોડી શક્તો નથી. પાપ પ્રવૃત્તિથી ભરપૂર અવિરતિને છોડતો નથી. પ્રમાદ : વ્રતાદિ રહિત જીવ પ્રમાદી બને છે. સત્પુરુષાર્થને ઉપાદેય માનતો નથી. ઈન્દ્રિયોના વિષયનું સેવન, કષાયોથી રંજિત, વિકથાનો રસિયો અને અતિ નિદ્રા જેવા દુષણથી ઘેરાયેલો આત્મહિતને કયાંથી સમજે ? પ્રમાદને ગ્રંથકારે “પ્રમાદોહિ મૃત્યુ' કહ્યું છે. યોગ : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ (જેમાં કષાય ભળેલો છે) તેને મન, વચન અને કાયાના યોગનો સહકાર મળે છે, ત્યારે મદિરા પીધેલો વાંદરો નાચ્યા કરે છે તેમ કર્મવશ થઈ જીવ સંસારમાં નાચે છે, રાચે છે પરિણામે કર્મના વિવિધ પ્રકારોથી બંધાય છે. યદ્યપિ અસંખ્યાત પ્રદેશી આત્માની શક્તિ અનંત છે તે કોઈ સામાન્ય ભારથી દબાઈ જાય તેવી નથી. કાર્પણ વર્ગણાના પુદ્ગલોનો અનંતનો જથ્થો આત્મપ્રદેશો પર આવરણ કરે છે. તે અનંત પ્રકારોને જ્ઞાનીજનોએ જીવને સંક્ષિપ્તથી બોધ થાય માટે આઠ ભાગ કરી સમજાવ્યા છે. તને આઠ સમજવાનો અવકાશ ન હોય તો એક મોહનીય સમજી લે કે તેનાથી શક્તિ કેટલી હણાય છે. તેનો તારા પર કેવો પ્રભાવ છે કે આત્મશક્તિનો જ હ્રાસ કરે છે. ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં કાર્યણ પરમાણુઓ ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે જડ પદાર્થ છે. જડને પણ નિજી પ્રકૃતિ હોય છે. આ કર્મ ૫૨માણુનું કાર્ય છે કે ચેતનની અવસ્થામાં વિકૃતિ, વિભાવ, રાગ-દ્વેષ રૂપી મલિનતા આવે ત્યારે એ ચેતના પર પોતાનું રાજ્ય જમાવી દેવું. અર્થાત્ ચેતનના પ્રદેશો પર તે છવાઈ જાય છે તેને કર્માવરણ કહે છે. જેમ આપણે આહાર લઈએ અને તે સાત ધાતુમાં વહેંચાઈ જાય તેમ આ કર્મ પરમાણુઓ આઠ પ્રકૃતિમાં વહેચાઈ જાય છે. સાથે જીવના પરિણામ પ્રમાણે તેનો કાળ નક્કી થાય છે. સુખદુઃખની માત્રા નક્કી થાય છે. આ જડેશ્વરની લીલા જાણીને ચેતને ચેતી લેવા જેવું છે. ર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદ ૧. જ્ઞાનાવરણ : જ્ઞાનને આવરણ કરે તે જ્ઞાનાવરણ કર્મ, આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના જ્ઞાનગુણને આવરે છે તેથી આત્મા સ્વસ્વરૂપને ભૂલી, અજ્ઞાનવશ દેહાદિને સ્વસ્વરૂપે માને છે. ૨. દર્શનાવરણ : જ્ઞાન ગુણની જેમ આત્મામાં દર્શનગુણ છે, તેને પ્રશમરતિ Jain Education International ૧૦૯ કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy