SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક] સાનુવાદ પશેખર રાજા જીવન સફળ કરી અંતમાં આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવ થયો. अन्यतीर्थिमते देवे, तथाऽन्यगृहीताहति । पूजनं वन्दनं त्याज्यं, मिथ्यामतविवर्धनम् ॥१४२॥ કુતીથિકના દેવના પૂજન-વંદનને ત્યાગ– શ્લે “તીર્થકોએ માનેલા દેવને ઉદ્દેશીને તેમજ અન્ય ગ્રહણ કરેલ તીર્થંકરની પ્રતિમા આશ્રી)ને પૂજન અને વન્દન ત્યજવાં, કેમકે તે મિથ્યામતને વધારનાર છે.”—૧૪૨ सङ्ग्रामशूरवत् कार्या-ऽऽद्या द्वितीया तथा त्वया । यतना येन भो भव्य !, गमिष्यसि शिवालयम् ॥१४३॥ પહેલી અને બીજી યતનાનું ઉદાહરણ– લે –“સંગ્રામરની જેમ પહેલી અને બીજી યતના તારે કરવી કે જેથી હે ભવ્ય ! તું મોક્ષે જાય.”- ૧૪૩ સંગ્રામશુરનું દુષ્ટાન્ત-- સ્પષ્ટીક-પદ્યખડ” નગરમાં સંગ્રામદદ નામને રાજા રાજ્ય કરતે હતું. તેના પુત્ર સંગ્રામશરને શિકારે જવાની ખોટી લત લાગી હતી. તે સમજાવવા છતાં જ્યારે તેણે છોડી નહિ ત્યારે રાજાએ તેને પિતાના નગરમાં આવવાની મનાઈ કરી. આથી તે નગર બહાર એક પરૂં વસાવી રહ્યો. એક દિવસ કાર્ય પ્રસંગે તે પિતાના શિકારી કુતરાઓને મૂકીને બીજે ગામ ગયો. તેવામાં એક જૈન આચાર્ય ત્યાં આવી ચડ્યા. તેમને આના કારભારીઓએ કુતરાને બાંધી રાખવાની શાળામાં ઉતાર આપ્યો. આ આચાર્યે કુતરાઓને શિકાર ન કરવાનો સચોટ ઉપદેશ આપે; તેથી તે કુતરાઓએ આજથી કઈ પણ જીવને અમારે વધ ન કરે એ નિયમ લીધે. કાલાન્તરે સંગ્રામર કુતરાઓને સાથે લઇ શિકારે ગયે. સસલાં વગેરે જાનવરને મારવા માટે તેણે કુતરાઓને ઉશ્કેરવામાં કચાસ ન રાખી, પરંતુ તે તે ચિત્રામણના કુત. રાની જેમ ઊભા જ રહ્યા. આથી ચકિત થઈ સંગ્રામશરે કુતરાના રક્ષકોને ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy