SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ માતાપિતાની ભક્તિ કરતા હતા તેથી અથવા વસુઓને તેઓ પૂજ્ય હતા એથી તેમનું વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. મહિષ (પાડા)ના લક્ષણથી લક્ષિત દેહવાળા, “કાશ્યપ ત્રીય તથા રાતા વર્ણના આ તીર્થકરનું શરીર સિત્તેર (૭૦) ધનુષ્ય જેટલું ઊંચું હતું. તેઓ ૧૮ લાખ વર્ષ પર્યત ગ્રહવાસમાં -ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પૂર્વક દીક્ષા ગ્રહણ કરી હતી. તેમને દીક્ષા-પર્યાય ૫૪ લાખ વર્ષને હતે. એક માસના ઉપવાસ પૂર્વક ચંપાપુરીમાં ૭ર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ૬૦૦ શ્રમણે સહિત તેઓ નિર્વાણપદને પામ્યા. આ તીર્થકરે પાણિગ્રહણ કર્યું હતું કે નહિ તે સંબંધમાં વેતાંબર સમ્પ્રદાયમાં મત-ભેદ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશિલાકાપુરૂષચરિત્ર (પ. ૪, સ. ૨, લે. ૮૮)માં એમને અપરિણીત-બાલબ્રહ્મચારી તરીકે ઓળખાવ્યા છે, જ્યારે શ્રીવર્ધમાનસૂરિએ રચેલા વાસુપૂજ્યચરિત્ર (સ. ૩, લે. ૫૦૮-૧૫૧૬)માં એમણે લગ્ન કર્યાને ઉલેખ છે. નામકરણ અનુષ્ય, છંદમાં રચાયેલી ૬૪ર લેકપ્રમાણુક અને ગીર્વાણ ગિરામાં ગુથાયેલી વૈરાગ્યરસમંજરીના સંબંધમાં અત્ર વિશેષ વિચાર ન કરતાં તેનું ૧ સરખાવો શ્રીઆવશ્યકસૂત્રની જ્ઞાનાદિત્ય શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિર્યુક્તિની ૧૦૮૫ મી ગાથાને ઉત્તરાર્ધ - ઘૂઘરા વાવ મિત્ત તેજ ઘણુપુત્રો ” [ पूजयति वासवो यमभिक्षणं तेन वासुपूज्यः] આ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે અભિધાન-ચિત્તામણિની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૧૧)માં કહ્યું છે કે – " वसुपूज्यनृपतेरय वासुपूज्यः, यद्वा गर्भस्थेऽस्मिन् वसु-हिरण्यं तेन वासवो राजकुलं पूजितवानिति, वसवो देवविशेषास्तेषां पूज्यो वा वसुपूज्यः, પ્રજ્ઞા વાસુપૂષય:.” ૨ આ રહ્યું એ પદ્ય – "पादौ प्रक्षाल्य कल्याण-प्रदौ कल्याण दानवान् । ગૃપ શ્રીવાસુપૂકાય, જ્યાં ન પ્ર પુરા ” ૩ આને “લેક' કહેવામાં આવે છે અને તેનું લક્ષણ એ છે કે – " श्लोके षष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । ત્રિવતુ પર , રીધે સામાન્ય: ” અર્થાત શ્લોકમાં પ્રત્યેક ચરણને છ વર્ણ ગુરુ અને પાંચસો વર્ણ લા હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં સાતમો અક્ષર ગુરુ, જ્યારે બાકીનાં બે ચરણમાં તે દીર્ઘ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy