________________
સ્તબ.] Nyāya-Kusumānjali
સ્પષ્ટી એકેન્દ્રિયને આહાર, શરી, ઇન્દ્રિય, અને પ્રાણ; વિકલેન્દ્રિયને અર્થત દીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને તથા અસની પચેન્દ્રિયને આહાર, શરીર, ઇન્દ્રિય, પ્રાણુ અને ભાષા અને સંજ્ઞી પંચેન્દ્રિયને આહાર, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, ભાષા અને મને એમ છ પર્યાતિઓ છે.
એકેન્દ્રિયના બે ભેદ છે –સૂક્ષ્મ અને બાદર. બદિર એટલે ધૂળ. એ જૈનશાસ્ત્રને પારિભાષિક શબ્દ છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય છો આખા લોકમાં વ્યાપી રહેલા છે. તમામ પિલાણ સૂક્ષ્મ જીથી ભરેલી છે, એમ વર્તમાન વિજ્ઞાનિકનું પણ માનવું છે. આ જ અત્યન્ત સૂક્ષ્મ હોવાથી આપણાથી જોઈ શકાતા નથી. બાદર પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર અગ્નિકાય, બાદર વાયુકાય, અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઘર્ષણ, છેદન, વિગેરે પ્રહારો જેને ન લાગ્યા હોય, એવી માટી, પત્થર વિગેરે પૃથ્વી, જે જીનાં શરીરનું પિડ છે, તે જ બાદર પૃથ્વીકાય જાણવા. જે જળને અગ્નિ વિગેરેથી આઘાત ન થયે હૈય, તે જળ-કૂવા તલાવ, વિગેરેનાં-જે જીવોનાં શરીરનું પિંડ છે, તે બાદર જલકાય જીવો સમજવા. એ પ્રમાણે દીવ, અગ્નિ, વીજળી વિગેરે જે જીવોનાં શરીરનું પિંડ છે તે બાદર, અગ્નિકાય જીવો છે. અનુભવાતો વાયુ, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે બાદર વાયુકાય છે. વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્રાદિક બાદર વનસ્પતિકાય છે. બાદર વનસ્પતિકાયના બે ભેદો છે–પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં અનંત જીવવાળી વનસ્પતિ બોદર સાધારણ વનસ્પતિ જાણુંવી. જે વનસ્પતિના કણસલાં, સાંધાની નસે, અને પર્વ-ગાંઠે ગૂઢ હેય, ભાંગવાથી જેના સરખા ભાગ (ફાડીઆ ) થઈ શકતા હોય, જેમાં તાંતણું ન હોય અને જેને છેદીને વાવીએ તે ફરીથી ઊગે તે કંદમૂલાદિકને બાદર સાધારણ વનસ્પતિ સમજવી. અને તેથી વિપરીત લક્ષણવાળા પ્રત્યેક વનસ્પતિ સમજવી.
पञ्चाक्षाणि पुनस्त्वगेव रसना घाणं च नेत्रं श्रुतिः स्युः स्पर्शो-रस-गन्ध-रूप-निरवा अर्था अमीषां क्रमात ।
291
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org