SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયકુસુમાંજલિ. [વતીયપણ તેવા હેવાથી, તે દષ્ટિએ--અર્થાત ઉપકારની દૃષ્ટિએ ધર્મો અભિન્ન માનવામાં આવે છે, (૬) ઘટના જે ભાગમાં અસ્તિત્વ ધર્મ રહે છે તેજ ભાગમાં અન્ય ધમે પણ નિવાસ કરે છે; આથી ગુણિ-દેશ અર્થાત ધર્મીનું ક્ષેત્ર સર્વ ધર્મને સારૂ સમાન હેવાથી ગુણિ- . દેશની અપેક્ષાએ ધર્મોને અભિન્ન માનવા વ્યાજબી છે. ( ૭ ) સંસર્ગને સારા સંબંધની માફક ઘટાવી લેવું. સંસર્ગ અને સંબંધમાં ફરક એટલે છે કે સંસર્ગમાં ભેદ-વિવક્ષા પ્રાધાન્ય ભોગવે છે અને અભેદ વિવક્ષા ગણુ સ્થાને છે, જ્યારે સંબંધમાં અભેદની પ્રધાનતા અને ભેદની ગાણુતા રહેલી છે. (૮) જેમ અસ્તિ શબ્દ, અસ્તિત્વધર્માત્મક વસ્તુને બંધ કરાવે છે, તેમ શેષ અનન્તધમાંત્મકનું પણ તે જ્ઞાન કરાવી શકે છે. આથી શબ્દની અપેક્ષાએ પણ અનંત ધર્મો તથા તેના આધારભૂત વસ્તુ એ સર્વ પરસ્પર અભિન્ન છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાન છે અને પર્યાયાર્થિક નયની ગણતા રહેલી છે. આથી વિપરીત સ્વરૂપ |કલાદેશનું છે. હવે ધર્મોને કાલાદિથી ભિન્ન કેવી રીતે કહી શકાય તે વિચારીએ. ( ૧) પરસ્પર વિરૂદ્ધ એવા વિવિધ ગુણ એકજ કાલમાં એકજ સ્થળે રહે એ અસંભવિત છે, કારણ કે પયયાર્થિક નયની અપેક્ષાએ તે સમયે સમયે પયીથે બદલાતા રહે છે. અને આ પ્રમાણે જ્યારે તેઓ બદલાતા જાય છે, ત્યારે ધમમાં ભિન્નતા આવવાથી ધર્મોમાં ભિન્નતા થાય એ દેખીતી વાત છે. એક કાલમાં વિરૂદ્ધ ગુણે એકજ સ્થળમાં રહે છે એમ માનીએ તે જેટલા ગુનો આશ્રય તે દ્રવ્ય છે, તેટલા પ્રકારે તે દ્રવ્યમાં ભિન્નતા માનવી પડશે. ધર્મના ભેદથી ધમને ભિન્ન માનનારા પર્યાયાર્થિક નયાનુસાર 190 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004893
Book TitleNyaya Kusumanjali
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVadilal Dahyabhai Ahmedabad
Publication Year1922
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy