SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ભાયકુસુમાંજલિ. [વતીય માનવા જતાં અમુક અપેક્ષાએ ઘટ અનિત્પરૂપે કે નિત્યરૂપે જે અનુભવાય છે, તેમાં આપત્તિ આવી પડશે. અએવ ઉપરના ચારે શબ્દપ્રયોગ “ચ' શબ્દથી યુકત અર્થાત કર્યાચિત એટલે અમુક અપેક્ષાએ સમજવા જોઈએ, આ ચાર શબ્દપ્રયોગો ઉપરથી બીજા ત્રણ શબ્દપ્રયોગો ઉપજાવી શકાય છે પંચમ શબ્દપ્રયોગ – અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય હેવાની સાથે અવકતવ્ય છે.” આ વિધાન કલ્પના અને યુગપત વિધિ-નિષેધ કલ્પન નાને “ભંગ” છે. ષષ્ઠ શબ્દપ્રયાગ.-“અમુક અપેક્ષાએ ઘટ નિત્ય હોવાની સાથે અવકતવ્ય છે.” આ નિષેધ અને યુગપત વિધિ–નિષેધ કલ્પનાથી ભંગ છે. સપ્તમ શબ્દપ્રયોગ–“ અમુક અપેક્ષાએ ઘટ, અનિત્ય અને નિત્ય હેવાની સાથે અવકતવ્ય છે.” આ ક્રમશઃ વિધાન અને નિષેધ તથા યુગપત વિધાન અને નિષેધ કલ્પનાને “ ભંગ” છે. જિનેન્દ્રના આગમમાં સપ્તભંગી બે પ્રકારની કહેવામાં આવી છે સકલાદેશસ્વભાવવાળી અને વિક્લાદેશ સ્વભાવવાળી. પ્રમાણુથી ગ્રહણ કરેલ વસ્તુનું કાલાદિક વડે અભેદથી અથવા તે અભેદના ઉપચારથી યુગપત રીતે ( એક સાથે ) જ્ઞાન કરાવનાર વાક્યને પ્રથમ આદેશ ( સકલાદેશ ) કહેવામાં આવે છે અને એથી વિપરીત અર્થત નથી ગ્રહણ કરેલ વસ્તુનું, ભેદ અથવા ભેદના ઉપચારથી ક્રમશઃ જ્ઞાન કરાવનાર વાક્યને ચરમ આદેશ ( વિકલાદેશ ) માનવામાં આવે છે. સપ્તભંગીના પ્રત્યેક ભાગ પર સકલાદેશ તેમજ વિકલાદેશ ઘટાવી શકાય છે. પ્રમાણરૂપ જ્ઞાનનું સૂચન કરનારું વાકય સકલાદેશ કહેવાય છે અને નયરૂપ જ્ઞાનનું સૂચન કરનારું વાકય વિકલાદેશ કહેવાય છે. સકલાદેશ અને વિકલાદેશનું સ્વરૂપ સમજવામાં “ક્રમ”, “યોગપધ” તેમજ કાલાદિક આઠ” સમજવાની જરૂર રહે છે. માટે પ્રથમ તે “ક્રમ' અને ગપ” એટલે શું તે વિચારીએ. દરેક વસ્તુમાં અસ્તિત્વ આદિ અનંત ધર્મો રહેલા છે. આ વર્ષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004893
Book TitleNyaya Kusumanjali
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVadilal Dahyabhai Ahmedabad
Publication Year1922
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy