SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ બ્રીજcrદરિશિષ્ય નિવેદન કર્યું કે હે રાજન! ગુરુ એવો આદેશ કરે છે કે સવારે ધર્મ અને આમ સભામાં બેઠા હોય ત્યારે તમારે કહેવું કે મુખશૌચ (કર્યા) વિના ભારતી પ્રસન્ન થતી નથી; વાતે વાદી, પ્રતિવાદી, સભ્યો અને સભાપતિ એમ સર્વે શૌચ કરો. એટલું કરાવશે તો આપે બધો સ્નેહ દાખવ્યો જ છે (એમ અમે માનીશું). વાપતિએ એ (વાત) સ્વીકારી. શિષ્ય ગુરુ પાસે જઈ તેણે કરેલી પ્રતિજ્ઞા કહી (સંભળાવી). ગુરુ સંતેષ પામ્યા. સવારે ભગવાન સૂર્યને ઉદય થતાં પૂર્વ દિશાનું વદન લાક્ષાથી આક્ષિપ્ત થયું એટલે રાજાઓ સભામાં આવ્યા. વાપતિએ બધાને-બદ્ધ વાદીન્દ્રને પણ મુખશચ કરાવ્યું. તેના મુખકમલમાંથી ગુટિકા પહૂંગ્રહમાં પડી. બપભષ્ટિના શિષ્યોએ માણસ મારફતે તે પતદ્દગ્રહને દૂર કરાવ્યું. ગુટિકા સુરીશ્વરના કબજામાં આવી. દિવ્ય શક્તિથી રહિત બનેલા કર્ણને જેમ પાથે બાણો વડે હ હતે તેમ ગુટિકા વગરના બૌદ્ધને સૂરીશ્વરે વચનરૂપ બાણ વડે હણ્યો પરાસ્ત કર્યો. નિત્તર બનેલે એ રાહુથી પ્રસાયેલા ચન્દ્ર જેવો અને ૧૫ હિમાનીથી લુપ્ત બનેલા-બળી ગયેલા ઝાડના ખંડની જે અત્યંત નિસ્તેજ થઈ ગયો. તેવારે બપભષ્ટિને નિર્વિવાદ “વાદિકુંજરકેસરી” એવું બિરુદ પિતાના તેમજ પારકા (જને એ આપ્યું, ધર્મ સપ્તાંગ રાજ્ય આમને આપ્યું. આ ગ્રહણ કરો. ધર્મથી રાજ્ય મળે છે. એમાં ચર્ચા શી હોઈ શકે? આમે ગ્રહણ કર્યું. તે વેળા સૂરિએ આમને કહ્યું કે હે નરેશ્વર ! રાજ્ય ધમને પાછું આપ. એ મોટું દાન છે અને તે તને શેભે છે. તું પરંપરાથી રાજાને સ્થાપનાચાર્ય છે. પૂર્વે શ્રીરામે વનમાં ર રહે સુગ્રીવ અને બિભીષણને રાજા બનાવ્યા હતા. તું પણ આ યુગના રાજાઓમાં તેના (અર્થાત રામના) જેવો છે. આ વચન (સાંભળતાંની સાથે જ ગંભીરતા અને ઉદારતાના ધામરૂપ આમે તે ધર્મને તેનું રાજ્ય પાછું આપી તેને વસ્ત્ર પહેરાવ્યાં. પિતાના એક સે મત્ત હાથીઓ, એક હજાર ઊંચા ઘડાઓ, વરૂથથી યુક્ત એક હજાર રથ અને એક સે વાદિત્ર તેણે આપ્યાં. બધા પિતાને ઠેકાણે ગયા. કીર્તિ વડે જેમણે સાત ભુવનને શ્વેત બનાવ્યા છે તેવા સૂરિએ અને (આમ) નૃપે “ગોપગિરિ'માં શ્રી મહાવીરને વંદન કર્યું. તે વેળા સૂરિએ ૩૦ શ્રીવીરનું સ્તવન રચ્યું. રાતો રોષઃ રામલા : ઇત્યાદિ ૧૧ કાવ્યમય એ (સ્તવન)ને આજે પણ સંવમાં પાઠ કરાય છે. સંધે પ્રભુને નમન કરી સ્તુતિ કરી કે જેને ઉદય થતાં અંધારું પણ રહેતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy