SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત, “પથવિજૂ , નિવડળ સંગ જિ” આથી આમ રાજાએ આતુરતાપૂર્વક ગુરૂજીને બોલાવવા માટે પોતાના પ્રધાનને તેમની પાસે મોકલ્યા. સાથે સાથે એમ પણ કહેવડાવ્યું કે "छाया कारण शिर धर्या, पत्तवि भूमि पडत पत्तह एहु पडत्तणं, वरतरु कांइ करंत." વળી– “न गङ्गां गाङ्गेयं सुयुवतिकपोलस्थलगतं न वा शुक्तिं मुक्तामणिरुरसिजास्वादरसिकः । न कोटीरारूढः स्मरति च सवित्री मणिचय સ્તતો મજે વિશ્વ સ્વમુનિરાં સૅરિતમ્ છે ? –શિખરિણી અર્થાત સુન્દર સુન્દરીને ગડ-થલ (ગાલ) ઉપર રહેલું સુવર્ણ (કડળ) ગંગાને યાદ કરતું નથી તેમજ સ્તનના સ્વાદનું રસિક એવું મુક્તામણિ યુક્તિ (છીપ)નું સ્મરણ કરતું નથી. વળી મુકુટ ઉપર આરૂઢ થયેલે મણિઓને સમૂહ પિતાની માતાને સંભારતો નથી. તેથી કરીને હું એમ માનું છું કે જગતુ પોતાના સુખમાં આસક્ત બન્યું છે અને સ્નેહથી વિરક્ત થયું છે. તથા વળી– "पांसुमलिनानिजङ्घः, कार्पटिको म्लानमौलिमुखशोभः । ચારિ ગુરનિધિ–સ્તથાપિ પથ પથ વેરાવ”-આર્યા અર્થાત જેનાં ચરણો અને જંઘાઓ ધૂળ વડે મલિન બન્યાં છે એવો તેમજ જેનાં મરતક અને મુખની શોભા નિસ્તેજ બની છે એવો કાપડી ગુણનો રસાકર હોય તે પણ માર્ગમાં તે બિચારો મુસાફર છે. પ્રધાનએ પણ કહ્યું કે હે નાથ ! આમ રાજા શુદ્ધ સ્નેહપૂર્વક આપને વિજ્ઞપ્તિ કરે છે કે આપે સત્વર પધારીને આ દેશને વસન્ત-લીલામાં મગ્ન કરવો જોઈએ. વળી આપના વાક્યરસના રસિક એવા અમને અન્ય કવિઓની વાણું રૂચતી નથી, કેમકે ગ્રન્થિપર્ણને ખાનારા કરતૂરીમૃગો ઘાસ ખાતા નથી. આના ઉત્તરમાં સૂરિજીએ તે પ્રધાને કહ્યું કે આમ રાજાને મારી તરફથી આ પત્ર આપશો. તેમાં તેમણે લખ્યું હતું કે૧ છાયા જ ત્રીજૂનામિતિ, નિપાનેર તા સંસ્કૃતમ . ૨ આનું તાત્પર્ય એ છે કે–વૃક્ષે મુસાફરને છાયા મળે તેટલા માટે શિર પર પત્રો ધર્યો. તે પત્રો ભૂમિ ઉપર ખરી પડે, તે તેમાં તે ઉત્તમ વૃક્ષ શું કરે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy