SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૨૧૩ તિકાનાં, ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિનાં અને એન્દ્રસ્તુતિનાં ૨૦ અને ૮૪માં પ સાક્ષી પૂરે છે). આથી કરીને શું એમ માનવું કે આ ગતાનુગતિક પ્રથા છે કે એમાં કંઈ સબળ કારણ રહેલું છે? આ સંબંધમાં એમ નિવેદન કરવામાં આવે કે કેટલીક વાર વિદ્યા-દેવીઓનાં તેમજ શાસનદેવીઓનાં નામો એક હોય છે (જેમકે કાલી, મહાકાલી, ગાધારી, વિરાટયા અને અચ્છમા), તેમ અત્ર બનવાજોગ છે, તો તે વાત પણ યુક્તિ-યુક્ત નથી. એનું કારણ એ છે કે આઠમાં તેમજ સોળમાં જિનેશ્વરની શાસન-દેવીનાં નામ તો વાલા-ભ્રકુટી અને નિર્વાણી છે એવી જ રીતે એકવીસમા જિનેશ્વરની શાસન-દેવીનું નામ ગાધારી છે). આ સંબંધમાં એમ પણ કહી શકાય તેમ નથી કે જેમ આ કવિરાજે વિદ્યા–દેવીની રતુતિ કમ વાર કરી નથી, તેમ શાસન-દેવીના સંબંધમાં પણ બન્યું હોય; કારણ કે જે જિનેશ્વરની જે શાસન-દેવી હોય, તે દેવીની સ્તુતિને તેજ જિનેશ્વરના સ્તુતિ-કદમ્બકમાં સ્થાન મળી શકે એ દેખીતી વાત છે. વળી એકજ દેવીની ફરીથી સ્તુતિ કરવારૂપ અપવાદ આ કાવ્યમાં ચતુર્વિશતિ-જિનાનન્દ-સ્તુતિની જેમ એક જ વાર દષ્ટિગોચર થતો હોત, તો તે પ્રમાદને લીધે એમ બન્યું હોય એમ કદાચ મનાત. પરંતુ હવે પછીના ૬૯મા પદ્યમાં મહાકાલીની બીજી વાર સ્તુતિ કર્યાની અને શ્રુત-દેવતાની ૭૬મા અને ૮૦મા પદ્યમાં બીજી અને ત્રીજી વાર સ્તુતિ કર્યાની તેમજ અંબા દેવીની ૮૮મા અને ૯૬મા પદ્યમાં એમ બે વાર સ્તુતિ ક્યની વાત પણ ભૂલી જવા જેવી નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે આ કંઈ પ્રમાદને લીધે બન્યું હોય એમ નથી, ત્યારે શું એમ માનવું કે કાલી અને મહાકાલી એ બે વિદ્યા-દેવીઓ કવિરાજની ઈષ્ટ દેવીઓ કે પરમ ઉપકારક હશે તેથી એમ બન્યું હોય? પરંતુ એમ વાત અંગીકાર કરવામાં આવે તો પણ શ્રીભન સૂરિજીએ, શ્રીમેરૂવિજય મુનિજીએ તેમજ શ્રીયશવિજય ઉપાધ્યાયજીએ પણ કાલી દેવીની ફરીથી સ્તુતિ કરી છે તેનું કેમ એ પ્રશ્ન ઉભો રહે છે. સાથે સાથે આ ત્રણે વિદ્વ-રોએ કારણ વિના આ પ્રમાણે સ્તુતિ કરી એમ પણ માનવું સહેલું નથી. અત્ર એમ નિવેદન કરવામાં આવે કે “સૂરિ–મંત્રમાં કાલી અને મહાકાલી એ બે દેવીઓના સંબંધમાં વધારે વાર ઉલ્લેખ આવતો હોવાથી એ દેવીઓની બીજી વાર સ્તુતિ કરવામાં આવી છે તો કેમ? આ પ્રશ્નનો ખુલાસો પાઠક-મહાશયને પૂછતો હું વિરમું છું. ૧ શ્રુત-દેવતાની સ્તુતિ એકથી વધારે વાર કરવામાં આવે તેમાં અડચણ નહિ હોય, કેમકે શ્રીપાલરાજાના રાસમાં પણ પ્રથમ તેમજ દ્વિતીય ખડના પ્રારંભમાં એમ બન્યું છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy