SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - - ભૂમિકા છે? અવતરણ– કિંચિત્ વક્તવ્યમાં સૂચવ્યા મુજબ આ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ નામના કાવ્યના અનુવાદને પ્રારંભ શ્રીશેભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુવંશતિકાનું ભાષાન્તર સમાપ્ત થયા બાદ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની ભૂમિકા તે મેં તે ગ્રન્થ સંપૂર્ણ છપાઈ ગયે તે પૂર્વે તૈયાર કરવા માંડી હતી, કેમકે શાભન-સ્તુતિ છપાવવી શરૂ થયા પછી આઠેક મહિને આ ગ્રન્થ પણ મુંબઈ વૈભવ મુદ્રણાલયમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાર પછી લગભગ છ માસ વીત્યા બાદ શ્રીબમ્પભદ્રિસૂરિકૃત ચતુર્વિશતિકા છાપવાનું કાર્ય નિર્ણયસાગર મુદ્રણાલયમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ગ્રન્થ સૌથી પ્રથમ છપાઈ ગયે અને ત્યાર પછી ટુંક સમયમાં સ્તુતિ-ચતુર્વિશતિકાનું કાર્ય પણ સમાપ્ત થયું, પરંતુ પૃષ્ઠની અપેક્ષાએ લઘુ એવી આ ચતુર્વશતિજિનાનદસ્તુતિ નામની કૃતિ છપાવવાનું કાર્ય તો ચાલુ જ રહ્યું. આ પ્રમાણેની પરિસ્થિતિને લઈને ભૂમિકાને કેટલોક ભાગ વિષયની અપેક્ષાએ સમાન એવી ચતુર્વિશતિકામાં છપાવી દેવું પડશે. દાખલા તરીકે ચતુર્વિશતિકાના કાવ્ય-મીમાંસામાં આપેલ વસ્તુ, સ્તુતિ-વિચાર અને સ્તુતિ-કદમ્બકને કેમ એ હકીકત આ ભૂમિકાને માટે તૈયાર કરવામાં આવી હતી. કાવ્ય-સમીક્ષા વિશિષ્ટતા પ્રત્યેક જિનેશ્વરની મુખ્યતાવાળી ચાર ચાર પદ્યની સ્તુતિરૂપ આ કાવ્ય પજ્ઞ વિવરણથી વિભૂષિત છે, વળી તેમાં સમગ્ર (૯૬) પદ્યો વસંતતિલકા વૃત્તમાંજ રચાયેલા છે તેમજ એના ચતદિ પદ્યમાં મખ્યતઃ શાસન-દેવીની સ્તુતિ કરવામાં આવી છે એ એની વિશિષ્ટતા સૂચવે છે. સ્તુતિ-ચતુર્વિશતિકા અને ચતુર્વિશતિકાની જેમ અત્ર કેઈ યક્ષની કે શ્રુત ૧ આવી સ્તુતિમાં ચાર જજુદાં જુદાંજ પદ્યો હોવાં જોઈએ એ કંઈ નિયમ નથી. એકના એક પધના અમુક રિતેશ્વર, સર્વે જિનેશ્વર, આગમ અને ભકત-દેવતા એ ચારેને ઉદ્દેશીને અર્થો થતા હોય તે તેવા પધનો પણ આવી સ્તુતિમાં સમાવેશ થઈ શકે છે. શું આનું પણું પ્રમાણ આપવું પડશે ? એમજ હોય તે પાઠક મહાશયને પ્રથમ પરિશિષ્ટ પ્રતિ દૃષ્ટિપાત કરવા વિજ્ઞપ્ત કરું છું. ૨ આ કાવ્યમાં વીસ શાસન-દેવીઓ પિકી સેળ શાસન-દેવીઓની અને સેળ વિધા–દેવીઓ પૈકી છે વિદ્યા-દેવીઓની સ્તુતિ-કરવામાં આવી છે. ૩ તીર્થંકર તીર્થની સ્થાપન કરતી વેળાએ યક્ષ જાતિના શાસન-રાગી દેવ અને દેવીની પણ સ્થાપના કરે છે. આ પ્રમાણે શાસનના હિતાર્થે જે દેવીની નિમણુક થઈ હોય તે “શાસન-દેવી” કહેવાય છે. જૈન દર્શનની માફક બૌદ્ધ દર્શનમાં પણ “શાસન-દેવીનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy