________________
જેઓ ૪૦-૪૦ વર્ષથી ચાલતા દિવ્યદર્શન પાક્ષિકના માધ્યમે શુદ્ધ સાત્વિક-શાસ્ત્રશુદ્ધ મોક્ષલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના મહાઉપકારક' બન્યા હતા. જેઓ શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા સિદ્ધાંત સંરક્ષક બન્યા હતા. જેઓ પરમ તેજ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યશોધર ચરિત્ર, અમીચંદની અમીદૃષ્ટિ, સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક, સાત્વિક ર૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી મહાન “સાહિત્યસર્જક’ બન્યા હતા. જેઓ “જ્ઞાનસ્થવીર હતા, વયસ્થીર હતા, પચચસ્વવીર હતા. જેઓ જીવનભર સુધી “અણિશુદ્ધ સંયમના સાધક હતા. જેઓ વૈરાગ્ય ઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા “શ્રી સંઘના સાચા-સફળ ધર્મોપદેશક-માર્ગદર્શક’ બન્યા હતા. જેઓ સેંકડો યુવાનોને દીક્ષિત કરી.. ભણાવી ગણાવી, વિદ્વાન અને સંયમી બનાવવા દ્વારા “શ્રમણોના ભિષ્મપિતામહ બન્યા હતા. જેઓ દીર્ધદષ્ટિ વાપરી શાસ્ત્ર સાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા “સંઘ એકતાના પ્રવર શિલ્પી” બન્યા હતા. જે સંઘ
એકતાની ઠંડક અને મીઠા ફળો આજે શ્રી સંઘ ભોગવી રહ્યો છે. . જેઓ શાસ્ત્રીય સંગીત અને રાગરાગીણીઓના સૂક્ષ્મ જ્ઞાન સાથે કોયલ જેવા મધુરકંઠના કુદરતી વરદાનના
સ્વામી હોવાને કારણે બેજોડ સંગીતકાર અને “સ્વરસમ્રાટ' હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો-સઝાયો
સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. • જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમ શિષ્યોની ભેટ ધરી. ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી,
૪૦-૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા દિવ્યદર્શનની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રી સંઘની એકતા કરી ૫૦-૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં “શ્રી સંઘ કોશલ્યાધાર બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં સાદર સમર્પણ....
બ્રિ૪૪૪૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org