SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [ લતા ૨૦ બીજા ખંડની આઠમી ઢાલમાં લગ્નનો પ્રસંગ વિસ્તારથી વર્ણવાયે છે. એ ઉપરથી આપણને એ સમયની ૧લગ્નપ્રણાલિકા જાણવા મળે છે. શ્રીપાલની બે પત્નીનાં રૂપથી મોહિત બનેલે ધવલ કુબુદ્ધિ નામના મિત્રની સલાહથી પ્રપંચ રચી શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દે છે, પણ એ તે મગરમચ્છની પીઠ ઉપર બેસી પાર ઉતરે છે, જ્યારે ધવલ રાજકુંવરીઓ પાસે કામાતુર બની જતાં, સમુદ્રમાં–વાતાવરણમાં ઉત્પાત મચે છે. ચક્રેશ્વરી દેવી કુબુદ્ધિને હણે છે અને બંને રાજકુંવરીઓને શરણે આવેલા શેઠને જીવતે જવા દઈ અને એ બેને સાંત્વન આપી જાય છે. શ્રીપાલ કાંકણુ કાંઠે આવેલા પ્રાણ જઈ પહોંચે છે. ત્યાં પિતાના મામા વસુપાલની પુત્રી મદનમંજરી સાથે એનું લગ્ન થાય છે. એવામાં ધવલ શેઠ એ નગરમાં આવી પહોંચે છે અને હું એને લલચાવી શ્રીપાલને ટુંબ ઠેરવી એને જાન જાય તેવું કાવતરું રચે છે, પણ પેલી રાજકુંવરીઓ દ્વારા ખરી વાત જણાઈ આવે છે અને ધવલ નિરાશ થાય છે. એ જીવ પર આવી શ્રીપાલનું ખૂન કરવા જાય છે ત્યાં એ કમેતે મરે છે. વસુપાલના નગરથી ૪૦૦ કશ દૂર આવેલા કુંડલપુરમાં મકરકેતુ રાજાની ગુણસુંદરી નામની પુત્રીએ વીણાવાદનમાં મને જે જીતે તેને પરણીશ એવી પ્રતિજ્ઞા લીધી હોય છે. એ ઉપરથી એ નગરમાં અનેક જણ વિણવાદનને અભ્યાસ કરે છે અને દર મહિને પરીક્ષા થતાં તેમાં નિષ્ફળ નીવડે છે. એ વાત શ્રીપાલ એક સાર્થવાહ પાસેથી જાણી સિદ્ધચક્રની એકચિત્તે આરાધના કરે છે એટલે સિદ્ધચક્રના સેવક તરીકે પિતાને ઓળખાવતે વિમલેશ્વર દેવ આવે છે અને એને કંઠમાં મણિને હાર પહેરાવે છે અને કહે છે કે એ વડે ઈચ્છિત રૂપ થઈ શકશે, ગમે એટલે દૂર જઈ શકાશે અને અભ્યાસ વિના જે કળા પ્રાપ્ત કરવી હોય તે થઈ ૧ આ સંબંધમાં મેં “આપણી લગ્નપ્રણાલિકાનું તુલનાત્મક અવલોકન” નામને લેખ લખ્યો છે. અને એ “ફા. ગુ. સ. મહોત્સવ ગ્રન્થમાં છપાયો છે. ૨ આથી જામેલી રમઝટનું વર્ણન કરાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy