SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૨૦] ઉત્તરવર્તી કવન-કુંજ ૫૯ લતા ર૦ઃ 'શ્રીપાલ રાજાને રાસ [વિ સં. ૧૭૩૮ ] વિનયવિજયગણિ વિ. સ. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસાથે રહ્યા તે વખતે સંઘના આગ્રહથી એમણે આ રાસ રચવો શરૂ કર્યો હતો પરંતુ ૫૦ ગાથા રચી તેઓ એ જ વર્ષમાં એ જ રાંદેરમાં સ્વર્ગ સિધાવ્યા અને એ રાસની પૂર્ણાહુતિ એ ગણિવર્યને વિશ્વાસભાજન ન્યાયાચાય યશોવિજયગણિએ થડા વખતમાં કરી. આ રાસ આપકર્મી મયણાસુંદરી અને બાપકર્મી એની સાવકી બેન સુરસુંદરીની વીતક કથા રજૂ કરે છે. આ રાસ રચવાને ઉદ્દેશ સિદ્ધચક્રને યાને નવપદને મહિમા વર્ણવવાને ૧ આ રાસ “જૈન નાગરી લિપિમાં ત્રીજા ખંડની પાંચમી ઢાલથી ગુજરાતી સ્પષ્ટીકરણ સહિત વિ. સં. ૧૯૩૪માં નિર્ણયસાગર મુદ્રણાલયમાં છપાવાયો છે. અને એની એક નકલ મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર”માં છે. એમાં ગૌતમસ્વામીની, વિનયવિજયગણિની તેમ જ ન્યાયાચાર્ય ચવિજયગણિની એકેક કાલ્પનિક જણાતી પ્રતિકૃતિ અપાઈ છે. ખીમજી ભીમસિંહ માણુકે ઈ. સ. ૧૮૯૩માં આ રાસ ગુજરાતી સ્પષ્ટીકરણ અને વિવિધ ચિત્ર સહિત ગુજરાતી લિપિમાં પ્રકાશિત કર્યો છે. જે. ધ. પ્ર. સં. તરફથી વિ. સં. ૧૯૭૧માં આ રાસ કુંવરજી આણંદજીએ લખેલ અર્થ (સ્પષ્ટીકરણ) અને રહસ્ય સહિત ૨૧ (તમામ) પ્રકરણની વિષયાનુક્રમણિકાપૂર્વક પ્રસિદ્ધ કરાય છે. અંતમાં “નવ પદ એની વિધિ અપાઈ છે. ૨ ત્રીજા ખંડની પાંચમી ઢાલની નિમ્નલિખિત વીસમી કડી રચાતી હતી તેવામાં વિનયવિજયગણિને સ્વર્ગવાસ થ હશે એટલે એ ઢાલની બાકીની ૧૧ કડીથી માંડીને આ રાસના અંત સુધીની રચના ન્યાયાચાર્યો કરી છે : “ત્રટ રટ રૂટે તાંત ગમા જાએ ખસી હે લાલ છે .. ! તે દેખી વિપરીત સભા સગળી હસી હે લાલ છે સ, ૨૦”, ૩ આથી (૧) અરિહંત યાને તીર્થ કર, (૨) સિદ્ધ, (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય, (૫) સાધુ, (૬) દર્શન યાને સમ્યકાવ, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ એમ નવ પદ સમજવાનાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy