SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વિનય સૌરભ [ લતા ૧૧ લિખિત બાર બે વિભાગ છે. એનો ધાર્થ લતા ૧૧ : શાન્ત સુધારસ વિ. સં. ૧૭૨૩] આ સંસ્કૃત કૃતિમાં ૨૩૪ પદ્યો છે. એને ગ્રંથાર્ચ ૩૫૭ શ્લોક પૂરત છે. એના મુખ્ય બે વિભાગ પાડી શકાયઃ (૧) અનિત્યતાદિ નિમ્નલિખિત બાર ભાવનાને લગતું કથન તેમ જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યરથ એ ચાર ભાવના સંબંધી વક્તવ્ય : (૧) અનિત્યતા, (૨) અશરણુતા, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ. (૬) અશૌચ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) કરવરૂપ અને (૧ર) બધિદુર્લભતા. પ્રારંભમાંનાં આઠ પદ્યો પ્રરતાવનાની અને અંતમાંનાં સાત પદ્યો પ્રશરિતની ગરજ સારે છે. બાકી સેળ ભાવનામાં અનુક્રમે નીચે મુજબ પદ્યો છે – ૩, ૩, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૭, ૭, ૭, ૭, ૮, ૭, ૭ અને ૫. આ કુલે ૮૧ પદ્યોની ભાષા પ્રૌઢ છે અને એ જાતજાતનાં સંસ્કૃત વૃત્તોમાં રચાયેલાં છે. પ્રત્યેક ભાવનાને અંગે એકેક ગેયાષ્ટક છે અર્થાત ગુજરાતી દેશીઓમાં વિવિધ રાગરાગણીમાં ગાઈ શકાય એવાં આઠ આઠ પદ્યો છે. ૧ આ કૃતિ વૃત્તો અને રાગરાગણીનાં નામપૂર્વક “કૃતજ્ઞાનઅમીધારામાં ઈ. સ. ૧૯૨૪માં છપાવાઈ છે. એ શ્રીગંભીરવિજયજીની ટીકા સહિત , ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ જ સભાએ મૂળ કૃતિ મે. ગિ, કાપડિયાનાં ગુજરાતી ભાષાંતર અને વિવેચન સહિત બે ભાગમાં અનુક્રમે ઈ. સ૧૯૩૬ અને ૧૯૩૮માં છપાવી છે. બીજા ભાગ (પૃ. ૭૧–૧૨૮)માં ૨૫ કૃતિઓને પરિચય અપાય છે. એ આ પુસ્તક તૈયાર કરવામાં ઉપયોગી થઈ પડ્યો છે. “શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ” તરફથી વીરસંવત્ ૨૪૮૫માં મૂળ કૃતિની મનસુખભાઈ કિ. મહેતાના ગુજરાતી અર્થ અને વિવેચન સહિત દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy