SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બતા ૪] પૂર્વવર્તી-કવનકુંજ આ પૈકી ક્રમાંક ૨, ૧૦ અને ૪૪ એ અનુક્રમે અર્ધબ્રમ, રથપદ અને તુરગપદરૂપ ગતિ-ચિત્ર છે; ક્રમાંક ૧, ૩-૯, ૧૧-૧૯, ૨૨ અને ૨૩ આકાર-ચિત્ર છે; ક્રમાંક ૨૫-૩૫ ગુપ્ત-ચિત્ર છે; ક્રમાંક ૩૬-૧૭ વ્યંજન-ચિત્ર છે; ક્રમાંક ૩૮ શ્રુત-ચિત્ર છે; ક્રમાંક ૩૮ સ્વર-ચિત્ર છે; અને ક્રમાંક ૪-૪૩ સ્થાન-ચિત્ર છે. લતા ૪: વિજયદેવસૂરિલેખ [ વિ. સં. ૧૭૫ ] આ લેખ વિ. સં. ૧૭૦પમાં ધનતેરસે વિનયવિજયગણિએ ગુજરાતીમાં ૫૪ કડીમાં સ્તંભતીર્થથી લખે છે. એ ચાર વિભાગમાં વિભક્ત છે અને એમાં અનુક્રમે ૪, ૭, ૧૨ અને ૬ કડી છે. બે વિભાગને ઢાલ કહેલ છે. એમાં વિજયસેનસૂરિને “જેસંગ' કહ્યા છે. સામાન્ય જૈન જનતા એ સૂરિને “ગુરુ જેસંગ”ને નામે ઓળખતી હશે. પ્રસ્તુત લેખમાં વિજયદેવસૂરિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરાઇ છે. એમને 'જિનશાસનશણગાર' કહ્યા છે એ વિજયદેવસૂરિના નિન્દકેને “ઘુવડ અને એ સૂરિને “સૂર્ય' કહ્યા છે. આ લેખને સંધની વિનતિ તરીકે ઓળખાવી વિજયદેવસૂરિને રાજનગરથી “તંભતીર્થ ચાતુર્માસાથે આવવા આગ્રહ કરાય છે. સ્તંભતીર્થનું ગૌરવ રાજનગરથી ચડિયાતું દર્શાવાયું છે. ૧ આ મુનિશ્રી વિદ્યાવિજયજી દ્વારા સંશોધિત અને “શ્રીયશવિજય જૈન ગ્રંથમાલા” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત ઐતિહાસિક સામાલા (ભા. ૧, પૃ. ૭૯૮૦)માં છપાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy