SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વિનય-સૌરભ [ લતા ૩ એ દ્વારા એમની સમવસરણગત ચતુર્મુખતા, એમનાં કરકમલ, એમણે પૂર્વ ભવમાં દીધેલું પોતાના શરીરમાંના માંસનું દાન, એમને પ્રાપ્ત કરેલી ચક્રવર્તી અને તીર્થકરને લગતી લબ્ધિ અને એમનાં ગર્ભાવસ્થામાને પ્રભાવ એ બાબતે રજૂ કરાઈ છે. લે. પ૧માં આ બંને તીર્થકરોની ભેગી સ્તુતિ છે. બીજા અધિકારમાં તપા' ગચ્છના અધિપતિ જે સ્તંભતીર્થને પાવન કરતા હતા તેમનું વર્ણન રજૂ કરાયું છે. તેમ કરતી વેળા વખ, વન, સમુદ્ર, જિનમંદિર, શ્રેષ્ઠીઓનાં ભવને, ઉપાશ્રય, નરનારી તેમ જ ચતુષ્પથનાં શાબ્દિક ચિત્ર આલેખાયાં છે. ૧૦૭મા પદ્યમાં “તામ્રવતીને ઉલ્લેખ છે. ત્રીજા અધિકારના પ્રારંભમાં દારપુર (બારેજા)નું વર્ણન છે. સાથે સાથે શ્રાવકની સ્તુતિ છે. ૧૨મા પદ્યમાં તેમને ઉલ્લેખ છે અને ત્યાર બાદ હેમચન્દ્રસૂરિનું એક પદ્ય અવતરણરૂપે અપાયું છે. એ દ્વારા વિદ્વત્તાનાં વક્તત્વ અને કવિત્વ એ બે ફળ દર્શાવાયાં છે, અને એ ફળની પ્રાપ્તિ શબ્દજ્ઞાનથી છે એમ કહ્યું છે. ૧૩૧મા પદ્યમાં કહ્યું છે કે વિનય “અનાદતાવાસસુદર્શનથી કહેવાયેલી સંખ્યા જેટલા એટલે કે ૧૨ આવક વંદન વડે પ્રણામ કરીને વિજ્ઞપ્તિપત્ર વિસ્તાર છે. ચોથા અધિકારમાં વિનયવિજયગણિએ ગચ્છાધિપતિ વિજયાનન્દસૂરિનું વર્ણન કર્યું છે. એમાં એમનાં રૂપ, વદન, પ્રતાપ, સૈદ્ધાંતિક બોધ, ગાંભીર્ય, વાણી, ચાર પ્રકારની બુદ્ધિ તેમ જ ઉપદેશના માધુર્યની ખૂબ પ્રશંસા કરી છે. ભલે. ૧૭૮-૧૮૧માં નવ ગ્રહમાંના દોષોનું નિવારણ એમના ઉપદેશથી થયાનું કહ્યું છે. એ સૂરિની જન્મભૂમિ તરીકે શ્રીહ (સિહી)નું નામ દર્શાવી એમનાં પિતા, માતા અને વંશનાં અનુક્રમે શ્રીવન્ત, શૃંગારદે અને “પ્રાગ્વાટ' નામનો ઉલ્લેખ કર્યો છે. ભલે. ૧૮૩માં એમના હાથમાં રજોહરણ હેવાનું કહી લે. ૧૮૪માં મુખપટી (મુહપત્તિ)ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy