SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક મૌલિક કૃતિઓ-જ્ઞાન સનાતન છે તેમ જ જેન મંતવ્ય મુજબ તે સંસાર અનાદિ-અનંત છે અને સંસારી જીવો અનાદિ કાળથી છે અને તે પણ અનંત છે એટલે કઈ પણ કૃતિ તર્ગત વિષયની દૃષ્ટિએ– એમાં પિરસાયેલી જ્ઞાનની વાનગીની અપેક્ષાએ “મૌલિક ગણી ન શકાય, પરંતુ આપણું જ્ઞાનની મર્યાદાને લક્ષ્યમાં લેતાં નિરૂપણશૈલીની અપેક્ષાએ મૌલિકતા સંભવે છે. કૃતિનું ભાષાંતર–વિવરણ કે એને સંક્ષેપ સામાન્ય રીતે મૌલિક ન ગણાય. એ હિસાબે કલ્પસુબેધિકા, વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ (લતાંક ૬) તેમ જ પત્રિશન્જલ્પસંગ્રહ સંક્ષેપ સિવાયની કૃતિઓ નિરૂપણશૈલીની દષ્ટિએ મૌલિક' ગણાય. આમ ૩૭ કૃતિઓ મૌલિક છે. અહીં એ ઉમેરીશ કે દસમી લતા એ ઉપમિતિભવપ્રપંચાકથાના દેહનરૂપે જે વિવિધ કૃત્તિઓ રચાઈ છે તે પૈકી પ્રથમના મુખ્યતયા સારાંશરૂપ ગણાય છે તે એ હિસાબે ૩૭ નહિ પણ ૩૬ મૌલિક કૃતિઓ છે. આ વિષયવાર વર્ગીકરણ જૈન સાહિત્યના આગમિક અને અનાગમિક એમ જે બે વિભાગ પડાય છે તેમાં “આગેમિક' તરીકે જૈનેના મૌલિક આગમ અને એનાં વિવરણને સમાવેશ થાય છે. આમ હાઈ કલ્પસુબોધિકાની તેમ જ અમુક અંશે ભગવતીસૂત્રની સઝાયની ગણના આગમિક સાહિત્યમાં અને બાકીની તમામ કૃતિઓની અનામિક સાહિત્યમાં કરાય. જૈન સાહિત્યને દ્રવ્યાનુયોગ, ચરણકરણનુગ, ધર્મકથાનુગ અને ગણિતાનુગ એમ ચાર અનુગમાં વિભક્ત કરાય છે. જોકપ્રકાશ એ ચારે અનુગની સાથે ઓછેવત્તે અંશે સંબદ્ધ છે, જે કે એમાં ૧દેવ વિ. સં. ૧ર૯૮માં રચેલ ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધાર યાને લધુ-ઉપમિતિભવપ્રપંચાકથા, હંસરત્નકૃત ઉપમિતિભવપ્રપંચાકાહાર, વર્ષમાનકૃત ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય, દેવસૂરિફત ઉપમિતિભવપ્રપંચ દ્વારા તેમ જ પ્રસન્નચદ્રકૃત લધુ-ઉપમિતિભવપ્રપંચાકથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy