SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૪૦] મધ્યવતી વન-કુંજ બીજામાં રાજુલને “ગિરનાર’ જવાને અને મુક્તિમહેલમાં એને અને નેમિનાથને મેળાપ થયાને ઉલેખ છે. ત્રીજામાં રાજુલના નેમિનાથ પ્રત્યેના અનુરાગનું વર્ણન છે. ચોથામાં કહ્યું છે કે હે પ્રાણ ! દુગતિ છોડી દે અને સંસારની માયા તથા ગર્વ જૂઠાં છે. મેહનિદ્રાને લઈને ભાન થતું નથી. પાંચમામાં મમતા અને વિકલ્પ ત્યજીને જ્ઞાનરૂપ પુષ્પની શયા મેળવવાનું કહ્યું છે. છઠ્ઠામાં કહ્યું છે કે મતિરૂપ સ્ત્રી જીવનરૂપ પિયુને બરાબર પિછાની ન શકી તેનું એ સ્ત્રીને દુઃખ થયું હોવાથી હવે પોતાના પિયુને સંગ નહિ છેડવાની અને પિયુના ગુણરૂપમતીની માળા કંઠમાં પહેરવાની વાત કરે છે. સાતમામાં કહ્યું છે કે રાજુલ નેમિનાથને ઠગાર કહે છે અને અંતે એમને શરણે જાય છે. આઠમા પદમાં “સુરતમંડન પાસ (પાર્શ્વનાથ)નાં ગુણગાન છે અને એ પ્રતિમાના અલંકારાદિને નિદેશ છે. નવમામાં રાજુલ નેમિનાથ એને છોડી ગયા તે માટે ઠપકે આપે છે, પિતાની વિરહાવરથા વર્ણવે છે અને રત્નત્રયની યાચના કરે છે એ બાબતે દર્શાવાઈ છે. દસમામાં માયાની અનિષ્ટતાનું વર્ણન છે. ૧૧મામાં મનને દેશ અને પિયુના ગુણને ખેતી કહી એ પરોવી હાર બનાવવાની વાત કહી છે. ૧૨મામાં ધન, યૌવન અને સાંસારિક સનેહની ચંચળતા જણાવાઈ છે. ૧૩મામાં મન વશ કરવાની સલાહ અપાઈ છે. ૧૪મું, રમું અને ૨૪મું પદ કોયડારૂપ છે-હરિયાળ’ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy