SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૩૩] મધ્યવર્તી કવન-કુંજ ૮૫ ચરિત્રનાયકે પોતાના ગુરુ કીર્તિવિજયગણિની પૂર્વાવસ્થા–સાંસારિક અવરથા વિષે નીચે મુજબ કથન કર્યું છે : સહસકરણને બે પુત્ર હતાઃ (૧) ગોપાલ અને (૨) કલ્યાણ, બાર વર્ષના ગેપાલે જ બૂરવામીની જેમ ચતુર્થ વ્રત લીધું. દીક્ષા માટે માતાપિતાની અનુજ્ઞા નહિ મળવાથી એ શિવકુમારની પેઠે ઘરમાં રહ્યા. કેટલેક વર્ષે માતાપિતાનું અવસાન થતાં રાજનગરમાં પિતાના બનેવી હનુઆ શાહને ત્યાં ગયા. એમના દીક્ષામોત્સવને અંગે ૩૬ ૦૦૦ રૂપિયા ખરચાયા અને ૧૮ જણની સાથે એ ગોપાલે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. એમના ભાઈ કલ્યાણે તેમ જ એમની એક બેને પણ તેમ કર્યું. એ ત્રણનાં નામ અનુક્રમે સમવિજય, કીર્તિવિજય અને વિમલશ્રી રખાયાં. આ સેમવિજય અને એમના સાહેદર કીર્તિવિજય આગળ ઉપર ઉપાધ્યાય યાને વાચક બન્યા. રચનાવર્ષ–આ કૃતિમાં રચનાવર્ષ અપાયું નથી, પરંતુ વિજયપ્રભસૂરિને પટ્ટધર બનાવ્યાની હકીકત છે અને એ બીના વિ. સં. ૧૭૧૦માં બની. એ ઉપરથી જે. ગૂ. ક. (ભા. ૨, પૃ. ૮)માં આ કૃતિ વિ. સં. ૧૭૧૦ પછીની હોવાનું કહ્યું છે. શાં. સુ (ભા. ૨, પૃ. ૧૧૩)માં કહ્યું છે કે ઈન્દૂત સાથે મેળ મેળવતાં અને વિજય આણંદસૂરિની કઈ વાત નથી એ બધું વિચારતાં આ કૃતિ વિ. સં. ૧૭૧૮ના અરસાની છે. ૧ જે. ગૂ. ક. (ભા. ૧, પૃ. ૪, .િ )માં કહ્યું છે કે સહસકરણ એ વીરજી મલિક કે જે જાતે પરવાલ હતું અને એક વજીર હતું તેને પુત્ર થાય છે. એ સંહસકરણ પણ મલિક થયો અને એ બાદશાહ મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ. સ. ૧૫૩૧થી ઈ. સ. ૧૫૫૪)ને મંત્રી બન્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy