SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૪૮ * પઉમચરિય-પદ્મચરિત્ર 6 કે, નક્કી આ પ્રભાવ આ મુનિવરના છે, પોતે અલવીયમાં સમથ હોવા છતાં પણઆપણને અહિં સ્ત'ભિત કર્યા છે. આવા પ્રકારની આ અવસ્થામાંથી આપણે કાઇ, પ્રકારે મુક્ત થઇએ તા, નક્કી મુનિવરનાં વચનને સ્વીકારીશુ'' આ સમયે અગિલા સાથે સામદેવ વિપ્ર પણ જલ્દી જલ્દી ત્યાં આવી પહોંચ્યા અને સાધુને પ્રસન્ન કરવા માટે, પ્રણામ કરવા લાગ્યા. વારંવાર શ્રમણને પ્રણામ કરીને બ્રાહ્મણ વિનન્તિ કરવા લાગ્યા કે, - હે દેવ ! આ દુર્જન પુત્રા આપના વચનથી જીવતા થાઓ.' શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા, પ્રશંસા અને નિન્દામાં સમાન ચિત્તવાળા મુનિએ પાપીઓ પ્રત્યે પણ કરુણાવાળા હોય છે.” તેટલામાં પેલા યક્ષ ત્યાં આવી પહોંચ્યા અને રાષાયમાન થએલા તે વિપ્રને કહેવા લાગ્યા કે, હવે તું આ મુનિવરને ખાટુ કલક ન આપીશ. હે વિપ્ર ! તારા આ દુષ્ટ પુત્રા પાપી, કલુષિત ચિત્તવાળા, મિથ્યાદષ્ટિ અને મુનિઓની દુગા કરનારા છે; તેથી જ તે દુષ્ટોને મૈ* સ્તંભિત કર્યા છે. જે કાઈ બીજાને મારે છે, તેા તે વધ મેળવે છે; સન્માન કરે તેા, સન્માન પ્રાપ્ત કરે છે. જે જેવા પ્રકારનું કર્મ કરે છે, તે તેનુ' ફૂલ મેળવે છે. અતિપ્રચંડ ભયંકર મહાદુ:ખયુક્ત વચન ખેલતા યક્ષને સાંભળીને તે વિપ્ર સાધુના પગમાં પડીને ફ્રી ફ્રી વિનન્તિ કરવા લાગ્યા. ત્યારે મુનિવરે યક્ષને કહ્યું કે, ‘આ બ્રાહ્મણેાના અપરાધની ક્ષમા આપ, મારા માટે આ દીન જીવેાના પ્રાણાના નાશ ન કર.’ હે મુનિવર ! જેવી આપની આજ્ઞા ' એમ કહીને ત્યાં યક્ષે તે બ્રાહ્મણાને મુક્ત કર્યાં. સ્વસ્થ થએલા તે વિપ્રા મુનિના ચરણમાં પડ્યા. તે અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને વેદ– શ્રુતિના ત્યાગ કરીને ઉપશાન્તભાવ પામ્યા અને સાધુએની પાસે બંનેએ શ્રાવકપણું અંગીકાર કર્યું. જિનશાસનમાં અનુરાગવાળા ગૃહસ્થધર્મનું પાલન કરીને કાલધમ પામેલા તે અને જણુ સૌધ કલ્પ–નિવાસી દેવાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવેલા તેએ અને સાકેતનગરીમાં સમુદ્રદત્ત શેઠની ધારિણી નામની પત્નીના પુત્રણે ઉત્પન્ન થયા. નેત્રને આનન્દ આપનાર તે પુત્રા ફરી પણ શ્રાવકધના ચેગે સમાધિવાળું મૃત્યુ પામીને સૌધકલ્પમાં દેવ થયા. ત્યાં તે ઉત્તમવિમાનમાં હાર, ખાજુબંધ, કડાં, કુંડલ વગેરે અલકારાથી અલંકૃત અનેલા, દેવાંગનાઓથી પિરવરેલા લાંબા કાળ સુધી વિષયસુખને ભાગવતા હતા. ત્યાંથી ચ્યવેલા તે વિનીતા નગરીમાં હેમનાથની રાણી અમરવતીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલા દેવકુમાર સરખા પુત્રા ઉત્પન્ન થયા. મધુ અને કૈટભ ત્રણે લેાકમાં પ્રગટ પ્રભાવવાળા રાજા થયા. શત્રુ અને સામન્તાને જેમાં વશ કરાયા છે, એવી સમગ્ર પૃથ્વીને ભાગવવા લાગ્યા. પરન્તુ પર્વત-શિખરના દુગ માં રહેલા ભીમ નામના રાજા તેમને પ્રણામ કરતા હતા, એટલું જ નહિં પણ યમરાજા સરખા તે દેશેાને ઉજ્જડ કરી નાખતા હતા અને સૈન્યને પણ વેર-વિખેર કરી નાખતા હતા. ત્યારે વડનગરના સ્વામી વીરસેન રાજાએ ભીમના ભયથી મધુ નરેન્દ્રના ઉપર તરત સન્દેશાના લેખ માકલ્યા. લેખના પરમાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy