SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૧૮ : પઉમચરિય-પદ્મચરિત્ર આ પ્રમાણે નિયત કરેલ કેટલુક સૈન્ય બહારના નીચાણુના ભાગમાં સ્થાપન કરીને દહૃદયવાળા અંગદકુમારે શ્રીશાન્તિનાથ ભગવન્તના જિનાલયમાં પ્રવેશ કર્યાં. અંગદકુમારે ભગવન્તને ભાવથી જિનવન્તના કરી. ત્યાર પછી ભૂમિતલ પર ચેાગસાધના માટે એડેલા રાક્ષસાધિપતિ-રાવણને ભગવંત સમક્ષ ધ્યાન ધરતા જોયા. હવે અંગદકુમાર તેને કહેવા લાગ્યા કે હે રાવણ ! જનકરાજાની પુત્રી-સીતાનું હરણ કરીને, ત્રણે જગતના ઉત્તમ પ્રભુ સમક્ષ આ ઈંભ કરીને કયા યાગની સાધનાના ડોળ કરી રહ્યો છે ? હે રાક્ષસેામાં પણ અધમ ! હે દુશ્ચરિત્રના આવાસ ! હવે તારી હું એવી ખરાબ ગતિ કરીશ કે, · જે અત્યન્ત ગુસ્સા પામેલા યમરાજા પણ ન કરી શકે. ત્યાર પછી સુગ્રીવપુત્ર-અંગદે માટો કોલાહલ કરવા પૂર્વક ગુસ્સામાં આવીને નારદને વસ્રના દડાથી મજબૂત હાથે માર્યાં. તે રાવણની આગળ પૂજા કરવા માટે સ્થાપન કરેલ હજાર હજાર પાંખડીવાળાં-સહસ્રપત્ર નામનાં કમળાને ઝડપીને પૃથ્વીતલ પર નીચું મુખ રાખીને બેઠેલી યુવતીઓને તેનાથી પ્રહાર કરવા લાગ્યા. ત્યાર પછી તેના હાથમાંથી અક્ષમાલા ખે'ચી લઇને કુમારે તેાડી નાખી, વળી પણ ભૂતદેવે હસતાં હસતાં તેને જલ્દી સાંધીને અર્પણ કરી. મેઘની ઉજ્જવલ વાદળાની શ્રેણિ શેાલે, તેમ તેના હાથમાં રહેલી અત્યન્ત વિશુદ્ધ સ્ફટિકની બનાવેલી ઝુલતી માળા શેાભા પામતી હતી. શ્રેષ્ઠરત્નાની ઝળહળતી ક'ઠમાં પહેરેલ માળાને તેાડીને જલ્દી પોતાના જ વસ્ત્રથી લંકાધિપને ગળામાં આંધ્યા, ત્યાર પછી આંધેલા વસ્ત્રના છેડાથી ઉચકીને લટકાવ્યેા. વળી એકદમ પૂરા ક્રધથી ક્રી પણ કુમારે ભવનના થાંભલે રાવણને આંધ્યા. હાસ્ય કરતા કરતા રાક્ષસાધિપતિને પાંચસેા મહેારથી પોતાના મનુષ્યના હાથમાં વેચેા. વળી માટા શબ્દથી તેને ફરી સંભળાવે છે કે, ‘તને વેચી નાખ્યા છે.' અંગદકુમાર ચુવતીઓના કાનમાંથી કુંડલા ખે ́ચી લેતા હતા, મસ્તકનાં આભૂષણેા અને ચરણમાંથી નૂપુરા તફડાવતા હતા. વળી કાઇક સ્ત્રીના વસ્ત્રનું હરણ કરતા હતા, તેમજ એક ખીજાના કેશથી બંનેને પરસ્પર આંધતા હતા. સપૂર્ણ સામર્થ્ય વાળા ચારે ખા ભ્રમણ કરતા અણુધાર્યાં હાથની ધેાલ પણ મારતા હતા. હે શ્રેણિક! સાંઢ જેમ આખા ગાકુળને તેમ આ કુમારે એકદમ અન્તઃપુરને આકુલ-વ્યાકુલ કરી ભયભીત કર્યું. ફ્રી પાછે કુમાર રાવણને ભાંડવા લાગ્યા કે− હે પાપી ! છળ-પ્રપંચ અને માયા કરીને આ જનકપુત્રી-સીતાનું એકાકી હતી ત્યારે હીનસત્ત્વથી હરણ કર્યુ છે.-આમ કરવામાં તારી બહાદુરી ન ગણાય, પરન્તુ હું તે। અત્યારે તારી સમક્ષ જ તારા સમસ્ત અંતઃપુરના સ્ત્રીવગ નું હરણુ કરુ' છું. હે દશમુખ! જે તારામાં દૃઢ શક્તિ હોય, તા હરણ કરતા મને રોકી નાખ. ’ એમ કહીને તે એકદમ ભરત ચક્રવર્તી જેમ લક્ષ્મીને તેમ રાવણની મહાદેવી મન્દોદરીને કેશે પકડીને ઢસડવા લાગ્યા. · હે દશાનન ! તું મારા તરફ નજર કર! આ તારી હૃદયવલ્લભાને હું લઈ જાઉં છું, હવે આ વાનરપતિસુગ્રીવની ચામર પકડનારી બનશે. જેનાં સર્વાં આભરણા ચલાયમાન થયાં છે અને " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy