SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] કેટિશિલાનું ઉદ્ધરણ : ૨૬૧ : દ્વીપ જેમાં રહેલા છે. જેમાં સેના, પુત્રો અને પત્નીઓ સાથે રાવણ કીડા કરે છે. જેને મહાબલવાળો અને શૂરવીર ભાનુકણ નામને નાને અને દઢશક્તિવાળો બુદ્ધિસંપન્ન બિભીષણ નામને બીજે માટે ભાઈ છે. હે પ્રભુ! આવા સુભટે તથા કેઈથી ન જિતાય તે મહાપરાક્રમી ઈન્દ્રજિત્ નામને તેને પ્રથમપુત્ર અને તેના સર ઘનવાહન નામને બીજો પુત્ર છે. આ વગેરે સુભટથી પરિવારે ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીને નાથ છે, માટે હે રામ! આ કથા હવે આપ જતી કરે.” ત્યારે લમણે કહ્યું કે-“જો રાવણ અતિશક્તિશાલી કહેવાય છે, તો તે સાક્ષાત્ બીજાની સ્ત્રીને ચોરનાર કેમ થયા?” રામે કહ્યું કે, “સાંભળે, અહિં બહુ બોલવાથી શું લાભ ? જે તમે મારા તરફ પ્રીતિ રાખનારા છે, તે તમે મને જનકરાજાની પુત્રી સીતાને બતાવે. ત્યારે તેના જવાબમાં જામ્બવતે કહ્યું કે-“હે મહાયશ! આ વિદ્યાધરોની કન્યાઓ સાથે લગ્ન કરીને આપ વિષયસુખ માણે, અથવા સીતા-વિષયક કદાગ્રહ છેડી દે. મયૂરમૂઢ પુરુષની જેમ હે નાથ ! તમે દુઃખી ન થાવ. એન્ના નદીના તટ પર રહેલા નગરમાં સત્યરુચિ નામનો એક ગૃહસ્થ રહેતો હતો, તેને રૂપસંપન્ન વિનયદત્ત નામનો એક પુત્ર હતું. તેને વિલાસભૂતિ નામનો બ્રાહ્મણ મિત્ર હતું, તે મિત્રની પત્નીમાં અત્યન્ત આસક્ત થયે. તે પત્નીના કપટપૂર્ણ વચનથી વિનયદત્તને વનમાં લઈ ગયા અને બ્રાહ્મણમિત્રે તેને વૃક્ષ પર ચડા, પછી દેરડીથી બાંધી લીધો. તેને ત્યાં બાંધી લીધા પછી તેના ઘરમાં પ્રવેશ કર્યો, ખોટા ઉત્તર આપવા લાગ્યા અને બ્રાહ્મણમિત્ર તેના સાથે રતિસુખ અનુભવતો રહેવા લાગ્યો. દરમ્યાન એક મૂખ પથિક તે પ્રદેશમાં આવ્યું અને ઉંચે નજર કરી, તો વૃક્ષે બાંધેલા પુરુષને છે. વૃક્ષ પર ચડીને તે પથિકે બંધનથી મુક્ત કર્યો. તુષ્ટ થએલો વિનયદત્ત પણ તેની સાથે પોતાના ઘર તરફ ગયે. વિનયદત્તને દેખીને વિપ્ર એકદમ નાસી ગયો. મયૂરસહિત પેલા પથિકને તે ગૃહસ્થ સ્વીકાર કર્યો અને મિત્ર તરીકે તે રહેવા લાગ્યું. હવે કઈકે સમયે તે પથિકમિત્રના મોરને રાજપુત્ર ગ્રહણ કર્યો, તે કારણે શેકાતુર થએલા પથિકમિત્રે સ્થાનિક વણિકમિત્રને કહ્યું કે, “જો તું મને જીવતે દેખવા માગતો હોય, તે મને તે મેર જલ્દી લાવી આપે, તે સમયે વૃક્ષ પર બાંધેલ હતો, મેં તને છોડીને ઉપકાર કર્યો છે, તેના પ્રત્યુપકાર નિમિત્તે તમે મારે મેર લાવી આપવાનું કાર્ય કરો. હે મિત્ર ! મને અત્યન્ત હૃદયવલ્લભ તે મેરને જલદી લાવી આપ.” ત્યારે વિનયદત્ત તેને કહ્યું કે, “બીજો મોર અગર રત્ન આપું. રાજપુત્રે જે મેરને ગ્રહણ કર્યો, જે મેર હવે ક્યાંથી પાછી મેળવી શકાય? તે બીજે મેર અગર રત્ન કે સુવર્ણ ગ્રહણ કરતા નથી અને ફરી ફરી બોલ્યા કરે છે કે મારો જ મોર મને લાવી આપ.” જેમ મેરમાં મૂઢ થએલ તે પથિક પોતાનો દઢ હઠાગ્રહ છોડતો નથી, તેમ હે નરેનમ! તમે પણ તેને સમાન થઈ તમારે નિશ્ચય છેડતા નથી. માટે હવે તમે તમારે બેટ નકામે આગ્રહ છેડી દે અને ઉંચા ગુણવાળી રૂપવન્તી વિદ્યાધરીએના ભર્તાર બની જાવ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy