SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણે મંદોદરીની સુચના થવા છતાં સીતા ઉપર બળાત્કાર કર્યો નહિ. તેનું કારણ તે એમણે પતે કોઈ પણ સ્ત્રી ભલેને તે રૂપ રૂપને ભંડાર હોય તો પણ તેને સમાગમાથે બલાત્કાર ન કરવાની એક અનંતવી નામના મુનિવર પાસે પિતે પ્રતિજ્ઞા લીધાનું સ્વમુખે કહ્યું છે. પૃ. ૧૧૬. એ મંદોદરી કાલાન્તરે એના બે પુત્ર યુદ્ધ માં પકડાતાં પોતાના પતિ રાવણને સીતા સોંપી દેવાની વિનવણીઓ કરે છે અને કહે છે કે હું જાતે જ સીતાને સોંપીને મારા પુત્રને છોડાવી લાવું. રાવણની જિનભક્તિ-ભુજામાંથી નસ કાઢી વીણાના તૂટેલા તારને જોડ્યો. પૃ. ૮૩. સીતાએ બે પુત્રોને એક સાથે જન્મ આપ્ય; તેમાં એકનું નામ તે લવર તેમજ લવણ છે, તો બીજાનું નામ “અંકુશ” કે “કુશ’ છે, જે પ્રચલિત છે. સીતાની માતા અને જનક નૃપતિની પત્ની વિરહીએ ભામંડલ નામના પુત્રને અને સીતા નામની પુત્રોને સાથે જન્મ આપ્યાનો બનાવ આ પૂર્વે બન્યો હતો. નરકમાં અવતરણ-સીતા લવણ અને અંકુશને જન્મ આપ્યા બાદ કેટલાક કાલાંતરે દીક્ષા લે છે અને પંચત્વ પામતાં બારમા દેવલોકે અયુતેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. નરક પામેલા લક્ષમણને પ્રતિબોધવા માટે એ નરકમાં જાય છે અને ત્યાં આગળ એને અને રાવણને બહાર કાઢી સ્વર્ગમાં લાવવા માટે પ્રયાસ કરે છે. ત્યાં તે લક્ષ્મણનો દેહ પ્રબળ અગ્નિથી માખણની જેમ પીગળી જાય છે અને સીતેન્દ્ર પ્રયત્ન નિષ્ફલ થાય છે. આ એક બીજો પ્રસંગ બનેલા છે. કૃષ્ણના મૃત્યુ બાદ કાલાન્તરે બલદેવ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. તે કૃષ્ણને મળવા ત્રીજી નરકમાં જાય છે અને ત્યાંથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ મારા માફક શરીર સરી જાય છે. જુઓ હમ ત્રિષષ્ટિ પર્વ ૭, પત્ર ૧૩૧. લે. ૨૫૭. રામ અને કૃષ્ણ-આપણા દેશમાં થઈ ગયેલા કેટલાક મહાપુરુષોનાં નામો વગેરે જૈન અને અર્જન ગ્રન્થમાં સમાન રૂપે નજરે પડે છે. આવાં નામ તરીકે અહીં તો મુખ્યતયા રામ અને કૃષ્ણને નિર્દેશ કરું છું. જો કે આ બંનેનાં જૈન તેમજ અજૈન ચરિમાં એકવાક્યતા નથી. જૈનમંતવ્ય મુજબના તે વૈદિક હિન્દુઓની માન્યતાના કૃષ્ણ કરતાં ઘણું પ્રાચીન સમયમાં થયા છે. વિશેષમાં વૈદિક lહન્દુઓ દસ અવતારો પૈકી રામને વિષ્ણુના સાતમા અવતાર રૂપે અને મર્યાદા-પુરુષોત્તમ ° તરીકે ઓળખાવે છે. જ્યારે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ’ તરીકે સંબોધે છે. આવી વાત જૈન ગ્રન્થમાં નથી. જૈન માન્યતા મુજબ રામ મુનિસુવતરવામીના તીર્થ માં થયા છે. (પૃ. ૧) તે કૃષ્ણ બાવીશમા તીર્થકર નેમિનાથના સમકાલીન છે. એમના કાકાના પુત્ર થાય છે. આમ હાઈ બંને વચ્ચે હજારો વર્ષનું અંતર છે. રામ એ ચાલુ “હુંડા’ અવસર્પિણમાં થઈ ગયેલા ૬૩ શલાકાપુરમાંના તેમ જ ૧ પતિપરાયણ મંદોદરી સીતા અને રાવણને ઉન્માર્ગે જવા પ્રેરે એ બીના કેવી કહેવાય? ૨-૩ લવ અને લવણ નામે પઉમરિયમાં ઘણીવાર વપરાયાં છે. જુઓ ભા. ૨ જાનું પ્રથમ પરિશિષ્ટ , ૨. ૪ મત્સ્ય, કૂમ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કપિલ-એમ દશ અવતરે છે. ગીતાનંદના આavઘમાં કૃષ્ણના દશ અવતારનાં કૃ ગણાવ્યાં છે, વિષ્ણુના ૨૪ અવતાર ગણાવનારે ક્રિષભદેવને પણ ઉલ્લેખ કરે છે. ૫ વરાંગચરિત્રમાં આને બદલે “કારણમાનુષ' શબ્દ વપરાયો છે. ચઉપન્નપુરિસમાં પણ એમ છે. ૬ એમના પરમભક્ત હનુમાન પણ એ જ ભવમાં મોક્ષે ગયા છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy