SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] હનુમાનને જન્મદિવસ અને જન્મસમયના રહે-૬. ૧૭, પલ ૧૦૭માં ઉલ્લેખ છે કેહનુમાનને જન્મ ચિત્ર કૃષ્ણ અષ્ટમીએ થયો હતો. એ સમયે રાહુ અને કેતુ સિવાયના ગ્રહના સ્થાનને નિદેશ ૧૦૮મા પદ્યમાં છે. એ હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૫. ૭, સ. ૩, લેક ૨૦-૨૦૮માં અપાયેલી વિગતો સાથે મળતો આવતો નથી. આ સંબંધમાં મેં બે લેખો લખ્યા છે. એનાં નામ જે સામયિકમાં એ પ્રસિદ્ધ થયાં છે, તેને નિદેશ નીચે પ્રમાણે કરું છું. હનુમાનની જન્મકુંડલી: અખંડ આનંદ વર્ષ ૭, અં. ૧ Horoscopic Date in the Jain Literatura Jo I Vol. II, No. 1 મેરુપર્વતનું કંપન-ઉ. ૨, પદ્ય ર૬માં કહ્યું છે કે, ચોવીશમાં જિનેશ્વરે અંગુઠા વડે લીલામાત્રમાં મેરુને કપાળે. આ બાબત મહાનિસીહ અધ્ય૦ માં છે. રાવણે “અષ્ટાપદ' પર્વત ઉપાડ્યાની વાત ઉ-૯, બ્લે-૬૯માં છે. આ વાત એમ છે કે રાવણ જે પુષ્પક વિમાનમાં બેઠા હતા, તે અષ્ટાપદ ઉપર આવતાં અટકી પડયું. તપાસ કરતાં એને ખબર પડી કે તે વાલી મુનિવરના તપને એ પ્રભાવ છે. એથી એને ઠેષ પ્રજ્વલિત થયો અને એણે અષ્ટાપદને અદ્ધર ઉઠાવ્યા. અવધિજ્ઞાનથી વાલીને એ જણાયું. જિનચેત્યોની રક્ષાથે, નહિં કે પોતાના પ્રાણ બચાવવા. વાલીમુનિએ એક શિખરને પગના અંગુઠાથી દબાવ્યું એટલે રાવણ અધમુ થઈ ગયો. વાલી મુનિનો અનાદર કર્યો હોવાથી રાવણે તેમની ક્ષમા માગી. આ જાતના બનાવો વૈદિક હિન્દુઓના ગ્રન્થમાં પણ જોવા મળે છે. (૧) ઋગવેદમાં ગોવર્ધન પર્વત ઉચકવાની જેવી વાત છે.' (૨) વાલ્મીકિકૃત રામાયણના “યુદ્ધ કાંડ'માં કહ્યું છે કે-લમણુ યુદ્ધમાં ઘાયલ થઈ જ્યાં પડ્યા હતા, ત્યાં હનુમાન “કૈલાસ' પર્વતનું શિખર ઉપાડી લાવ્યા હતા, (૩) આના ઉત્તરકાંડમાં એવો ઉલ્લેખ છે કે-રાવણે સમગ્ર હિમાલયને હાથમાં ધારી રાખ્યો અને મહાદેવે અંગુઠા વડે એને દબાવે. (૪) હરિવંશ વગેરે પુરાણોમાં કહ્યું છે કે, કૃષ્ણ ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી રાખ્યો. (૫) કનૈયાલાલ દવેએ નિમ્નલિખિત લેખલખે છે : ઐતિહાસિક દષ્ટિએ ગોવર્ધનધારી સ્વરૂપ અને તેને પ્રચાર” કેટિશિલા-સિલ્વદેશમાં આવેલી અને દેવો વડે પૂજાએલી સુશોભિત તેમજ ખૂબ વજનદાર શિલા છે અને એ લમણે ઉપાડી તે. પૂર્વે એ જોઈ સર્વેએ એ શિલાની પ્રદક્ષિણું કરી એને વંદન કર્યું. લમણે સ્નાન કરી, કમ્મરે કસીને ખેસ બાંધીને મસ્તકે અંજલિ જોડી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યો અને રામ વગેરેએ આશીર્વાદ આપ્યા કે તીર્થકરો, સિદ્ધો, સાધુઓ અને ધર્મ એ ચારે તમને મંગલરૂપ થાઓ. જુઓ પૃ. ૨૬૩. આ બાબત ઉ. ૪૮માં એ જ કેટિશિલા ઉપર ચડીને રામચન્દ્ર દીક્ષા લીધા બાદ પ્રતિમા–ધ્યાનમાં સ્થિત થયા હતા. પર્વ ૧૧૭, શ્લો. ૬. જિનપૂજન-ઉ. ૩૨, પર્વ ૬૩-૬પમાં જિનપૂજાનું ફલ દર્શાવ્યું છે. પદ્ય ૭૨-૮૪માં કુસુમપૂજા વગેરે વિવિધ પૂજાઓને અને એનાં ફળને ઉલ્લેખ છે. પદ્ય ૮૯-૯૨માં જિનપૂજનના વિચારથી માંડીને તે જિનસ્તુતિ કરવા સુધીનાં ફલ તરીકે ચતુર્થ, ષક, અષ્ટમાદિને નિદેશ છે. ઉ. ૨, પદ્યમાં અદ્ધમાગહી-અર્ધમાગધી અને ૩૬મા પદ્યમાં આઠ મહાપ્રાતિહાર્યોને ઉલ્લેખ છે. ઉ. ૯૮ના ૬૭મા પદ્યમાં અધ' દેશનું નામ છે. ઉ. ૨૮, પલ ૪૭-૫૦ “ગેય’ છે. ઉ. ૧, ના ૧૯માં પવમાં વિદૂષકને કાકના કણ વાળો કહ્યો છે. ' - ૧ જુઓ કલ્યાણ વિ. ૨૨, એ. ૫. ગત વેરો છે ત્રાક્ટોઢા ૨ આ લેખ પ્રજાબંધુના વિ. સં. ૨૦૦૫ના દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy