SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ : ૧૭૭ : ર્માણુઓનાં કિરણાથી દેીપ્યમાન જાણે સ્વર્ગથી ઉતરી આવેલું ઈન્દ્રનું વાસભવન ન હાય, તેવુ' જિનમન્દિર જોયું. અંદર પ્રવેશ કર્યાં, તે ત્યાં સિંહાસન પર બિરાજમાન લાંખી જટારૂપી મુકુટથી કરેલી શેાભાવાળી શ્રીઋષભદેવ ભગવંતની પ્રતિમા દેખી. એ હાથની અંજલી જોડતાં અચાનક તે મૂર્છા પામ્યા. વળી ભાનમાં આવ્યા, એટલે પ્રયત્નપૂર્ણાંક ભાવસહિત ભગવંતની સ્તુતિ અને મંગલપાયો કર્યા. વન્દન કરીને વિસ્મય પામેલા જનક ત્યાં બેડા, ચપલગતિ પણ અશ્વના રૂપના ત્યાગ કરીને પેાતાના નગરે ગયા. સ્વામીના ચરણમાં નમન કરીને કહ્યુ કે, અપહરણ કરેલા જનકને ઉદ્યાનના મધ્યભાગમાં જિનગૃહ નજીકમાં સ્થાપન કર્યાં છે. ‘જનક આવેલે છે.’એમ જાણીને તુષ્ટ થએલ તે વિદ્યાધરનરેન્દ્ર મહાપૂજાની સામગ્રી ગ્રહણ કરીને જલ્દી જિનભવનમાં ગયા. દિવ્યવિમાનમાં આરૂઢ થએલા અનેક સુભટાથી પરવરેલા તેને જનકે દેખ્યા. એટલે વિચાયું` કે, ‘ આ કયા ખેચરાધિપતિ અહીં આવ્યા હશે ? ’ તેના ચિત્તના ભાવથી અજાણુ જનક અત્યારે તે સિંહાસનની પાછળ છૂપાઇને જેટલામાં રહ્યો, તેટલામાં ચન્દ્રગતિએ આવીને પૂજા કરી. વિધિપૂર્વક સ્તુતિ-મંગલ કરીને ત્યાં દ્વાદશાવ વંદન કરીને વીણા ગ્રહણ કરીને જિનગુણેાનાં ગાન ગાવા લાગ્યા જેમને ઇન્દ્રોએ મેરુપર્વત ઉપર સ્નાન કરાવ્યું, કિન્નરા, વિદ્યાસિદ્ધો, યક્ષા જેમનાં મગલ ગીતે ગાય છે, જે જન્મ-જરા-રહિત, ગાઢ કર્મના વિનાશક એવા ઋષભદેવ ભગવતને સતત આદર સહિત નમસ્કાર કરે. હે પ્રભુ ! આપ સ્વયમ્ભુ, ચતુર્મુ ખ, પિતામહ, જિન અને વિલેચન છે. આપ અનન્તસુખ અને નિલ દેહને ધારણ કરનાર છે, આપ સ્વયં બુદ્ધ અને ઉત્તમ ધર્મના ઉપદેશ આપનાર છે, સુર, નર, ચન્દ્ર અને સૂર્યથી પૂજિત, અનેક પ્રકારના સેકડા ગુણેા તથા શાભાના ધામરૂપ, તથા અનુપમ અચલ શિવસુખના કુલ આપનાર એવા જિનેશ્વર ભગવન્તને નમસ્કાર કરે. હે નાથ ! સુંદર ચારિત્રવાળા આપ મને શરણરૂપ થાઓ. મત્સર, રાગ અને ભયને જિતનારા, ભય અને દુર્ગતિના માના નાશ કરનારા, ક્રિયામાં ઉદ્યત એવા ધમાને ઉપદેશ કરનારા ગુરુ, ભારે ક રૂપી મહાસાગરને શેાષણ કરનારા એવા ઋષભદેવ ભગવતને નમસ્કાર થાએ. ’ આ પ્રકારે ચન્દ્રગતિ જ્યારે ગાઈ રહેàા હતા. ત્યારે સિંહાસનના પાછલા ભાગમાંથી જનક બહાર નીકળ્યેા. ચન્દ્રગતિએ તેને દેખીને પૂછ્યું કે, ‘ સાચી વાત એટલે કે, તમે કાણુ છે ? કચાંના રહીશ છે.? કયા કારણે આ મંદિરમાં રહેલા છે ?’ તેણે પ્રત્યુત્તર આપ્યા કે, ‘ હું મિથિલાપુરીમાં ઇન્દ્રકેતુને પુત્ર જનક નામનેા છું. કાઈ માયાવી ઘેાડાએ હરણ કરીને મને અહીં આણેલે છે.' એક બીજા પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા, વિનય અતાવવા લાગ્યા, સુખાસન પર બ ંને બેઠા, પ્રીતિપૂર્વ ક વિશ્વાસવાળી વાતેા કરવા લાગ્યા. ‘આ જનક રાજા છે. ’ એમ જાણીને ચન્દ્રગતિએ કહ્યુ કે, હે જનક! તમે સાંભળેા, તમારે એક કુમારી પુત્રી છે-એમ પૂર્વે મે સાંભળ્યું છે, તે અનુરૂપ કન્યા મારા પુત્ર ભામંડલને તમે આપે!. હું જનક ! આમ કરવાથી " ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy