SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૬ : પઉમરિય-પદ્મચરિત્ર લાગ્યા કે, · અફ્સાસની વાત છે કે, ભારે પાપી એવા મેં મૂઢ મહા અકાય કર્યું. કે, જેને મેં ખાવીશ વરસ સુધી ત્યાગ કરી ! જેવી રીતે ખિચારી આ ચક્રવાકી પ્રિયના વિરહમાં અત્યંત દુઃખી થએલી છે, તેની માફ્ક મારી પ્રિયતમા દીનવદનવાળી મારા વિયેાગમાં સમય પસાર કરે છે! જો કે કાનને દુઃખ કરનાર એવાં વચન તે પાપી એવી તેની સખીએ કહેલાં હતાં, તે નિર્દોષ પ્રસન્ન નેત્રવાળી તેના મે' કેમ ત્યાગ કર્યા ?’ આ પ્રમાણે વિચારીને પવનજયે પ્રહસિત મિત્રને કહ્યુ કે− ચક્રવાકીને જોઇને મને મારી અંજના ભાર્યાનું સ્મરણ થઈ આવ્યું. પ્રાસાદતલમાં ઉભી રહીને મારા તરફ્ સ્નેહદષ્ટિથી અવલેાકન કરતી, શેાભા અને સૌભાગ્યથી રહિત, હિમવડે ખળેલી કમલિની સરખી તેને એકાંતમાં મેં નીહાળી હતી. હું સુપુરુષ ! હવે સમય ગુમાવ્યા વગર એવા કાઈ ઉપાય કર કે જેથી લાંખા કાળના વિરહથી દુઃખિત થએલી અંજના ખાલાને આજે હું દેખુ’ કાની આવશ્યકતા જાણીને પ્રહસિત મિત્ર પવન જયને કહેવા લાગ્યા કે, ‘ત્યાં જવાનું હાલ મુલતવી રાખ્યા સિવાય બીજો ઉપાય હું દેખતા નથી.’ પવનજયે તરત મુગર નામના અમાત્યને મેલાવીને સૈન્યના રક્ષક તરીકે સ્થાપન કર્યાં અને કહ્યું કે, ‘હું અત્યારે મેરુ તરફ્ જાઉં છું. ચન્તન અને પુષ્પા અને હાથમાં ગ્રહણ કર્યાં અને આકાશમાર્ગે ચાલતા ઉતાવળથી ચપળતા કરતા તેઓ રાત્રે અજનાના ભવને પહેાંચી ગયા. ત્યારપછી પવન જયને ઘરના આગલા આંગણાના સ્થાનમાં રાખીને પ્રહસિત્તે ભવનમાં પ્રવેશ કર્યા; ત્યારે અજનાએ તેને અણધાર્યા આવેલા જોયા. અજનાએ તેને કહ્યું કે, અરે ! તું કાણુ છે ? અને કયા કાર્ય માટે અહીં આવ્યા છે ? ’ ત્યારે તેણે પ્રણામ કરવા પૂર્વક કહ્યું કે, ‘હું પવનવેગના મિત્ર છું. હું સુન્દરી ! તે તારા પ્રિય અહીં આવેલા છે અને તેણે જ મને જલ્દી મેાકલ્યા છે. મારું નામ પ્રસિત છે. હે સ્વામિની ! તેમાં સંદેહ ન કરશે.’ સ્વપ્ન-સમાન પવનજયનું આગમન સાંભળીને ખલા તેને કહેવા લાગી કે- હું પ્રસિત ! હું યમરાજા અને દેવથી હાસ્ય કરાએલી છું, હવે તું પણ મારું હાસ્ય કેમ કરી રહ્યો છે! અથવા આમાં તારા શે। દોષ છે ? દોષ તે મારાં પૂર્વે કરેલાં કર્મોના છે કે, જે હું પ્રિય તરફથી અને સ લેાક તરફથી પરાભવ પામી.' ત્યારે પ્રસિતે કહ્યું, હે સ્વામિની ! તમે હવે દુ:ખ ન લાવા, તમારા હૃદયવલ્લભ આ ભવનમાં અહીં જ આવેલા છે.' આંગણામાં ઉભા રહેલા પવનજયને વસંતમાલાએ પ્રણામ કરીને ભવનમાં પ્રવેશ કરાવ્યા. પ્રિયને દેખીને અંજનખાલા એકદમ ઉભી થઈ, મસ્તકથી નમન કરીને તેના ચરણમાં અંજલી કરી. * પવન‘જય પુષ્પાની ચાદરથી આચ્છાદિત રત્નપલંગ પર બેઠે, એટલે હ વશ શમાંચિત અંગવાળી અજના તેની પાસે એડી. બીજા ખંડમાં પ્રસિત સાથે વસંતમાલા એડી અને વિનેાદપૂર્ણ વિવિધ વાર્તાઓ કરવા લાગ્યા. ત્યાર પછી પવનવેગ અજનાને કહેવા લાગ્યા કે હું સુંદરી ! અકાય આચરણ કરનારા મેં તને હેરાન-પરેશાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy