SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન વિશેષાને જાણતી નથી. હું અત્યંત મૂખ વસંતતિલકે! ગુણાના નિધાન ધીર ચરમશરીરી વિદ્યુત્પ્રભુને છેાડીને પવન'જયની પ્રશંસા કરે છે ? ’ ત્યારે વસન્તતિલકાએ મિશ્રકેશીને કહ્યું કે, તે તે અલ્પ આયુષ્યવાળા હેાવાથી તેના વિયેાગમાં આ ખાલાનુ લાવણ્ય વ્યર્થ જવાનું.' ત્યાર પછી મિશ્રકેશી કહેવા લાગી કે, ‘વિદ્યુત્પ્રભ સાથે એક દિવસના પ્રેમ હોય તો પણ ઘણું સુંદર છે, પરંતુ કુપુરુષ સાથે લાંખા કાળનો પ્રેમ સારા ગણેલા નથી.’ આ વચન સાંભળીને પવનતિ રાષના વેગથી એકદમ સળગી ઉઠ્યો અને તેણે યુવતીને મારવા માટે શ્રેષ્ઠ તરવારને ખે'ચી. આ ખાલાએ હાસ્ય કરીને જે વચન કહ્યુ', તેને પ્રતિષેધ ન કર્યા-એટલે તેમાં સમ્મત થઈ અને આમ પેાતાની સખીને ખેલતી ચલાવી લીધી; માટે એ ખંનેનાં મસ્તકે તરવારથી છેદી નાખુ' અને તેના હૃદયને અતિશ્ર્વભ એવા વિદ્યુત્પલ ભલે પછી અહીં વિવાહ કરે. યુવતીઓને મારવા માટે તરવાર ઉગામેલા પવનવેગને જોઇને મિત્રે મધુર વચન કહીને પવનતિને રાખ્યો. ‘બહાદૂર સુભટાના જીવનનેા નાશ કરનાર, હાથીનાં કુંભસ્થલનુ દાન દેવા સમર્થ આ તરવાર અપરાધ કરનાર હોય, તે પણ તે સ્ત્રીના ઉપર ધીરપુરુષા કદાપિ ચલાવતા નથી. તું ઉત્તમ કુળમાં જન્મ્યા છે, ઉત્તમ પ્રકારના વર્તનથી તું ઉત્તમ છે, માટે પત્નીના વધ ન કર અને કેપના ત્યાગ કર. પ્રહસિતે મધુર અક્ષરાથી પવનગતિને શાન્તિ પમાડ્યો, તેના ભવનમાંથી નીકળીને પેાતાના આવાસમાં પહેાંચી ગયા. શયનમાં સુખેથી બેઠેલ અને સ્રી પ્રત્યે વૈરાગ્ય પામેલા તે કહેવા લાગ્યા કે, જેનું મન ખીજા પ્રત્યે રાગવાળું હાય, એવી સ્ત્રીઓના કદાપિ વિશ્વાસ ન કરવા. મૂખ, કુમિત્ર, સેવકરૂપમાં છૂપાએàા શત્રુ, બીજાને આધીન થએલી સ્ત્રી પ્રાપ્ત કરીને કાણુ સુખી થયા છે ?' આવા વિચાર-વમળમાં સમય પસાર થતાં રાત્રિ પૂર્ણ થઇ, અન્દીજને જગાડવા માટેનું વાજિંત્ર વગાડી હર્ષોંથી પ્રાભાતિક મગલગીત મેાટા સ્વરથી ગાયું. જાગેલા પવન'જયે મિત્રને કહ્યું કે, ‘હવે ઢીલ કર્યા વગર પ્રયાણ કરવા માટે શંખ ફૂંકાવ, જેથી આપણે પેાતાના નગર તરફ પ્રયાણુ કરીએ.’ પ્રયાણ માટે શંખને શબ્દ વગડાવ્યા. મુખના પવનથી ખૂબ મોટા અવાજ કરતા શખને! શબ્દ સાંભળીને તેનું તમામ સૈન્ય તરત જાગૃત થયું. તે સમયે કામળ કિરણ-મ`ડલથી અલંકૃત સૂર્યના ઉદ્દય થયા, કમલેા વિકસિત થયાં, કુમુદા બીડાઇ ગયાં, ઘેાડા, હાથી, રથાથી ઘેરાએલ ઊંચા વેતછત્રવાળા, ધ્વજપટ ફરકવાથી શેાભતા પવન`જય પાતાના નગર તરફ ચાલવા લાગ્યા. તેનું ગમન સાંભળીને અંજનાખાલા ચિંતવવા લાગી કે, ખરેખર હું પુણ્ય કર્યાં વગરની છું. બીજાએ કરેલા અપરાધના કારણે મારા હૃદયના સ્વામીએ મા ત્યાગ કર્યો! નક્કી મેં પૂર્વના કાઇ ભવમાં અતિભયંકર પાપ આચયુ હશે! ધનના નિધિ આપીને પછી મારાં નેત્રાને વિનાશ કર્યાં.' આ અને બીજા સ`કલ્પ-વિકા અજના વિચારતી હતી, ત્યારે પવનજયના માને અનુસરનારા મહેન્દ્ર અને પ્રહ્લાદરાજા ઉતાવળા ઉતાવળા તેની પાછળ ગયા અને પવનજયને દેખીને રાખ્યા અને વળી 6 , ૧૬ Jain Education International ૧૨૧ : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy